ગાત્રો થીજવતી ઠંડી માટે થઈ જાઓ તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી


  • Published By :
  • Published Date : 2022-12-27 21:39:55

રાજ્યમાં કાતિલ ઠંડીથી ત્રાસી ગયા છો તો તમારા માટે માઠા સમાચાર છે. ગુજરાત હવામાન વિભાગે કડકડતી ઠંડીને લઈ આગાહી કરી છે કે નવા વર્ષની શરુઆતથી જ હાંડ થીજવતી ઠંડી પડશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, થર્ટી ફર્સ્ટથી રાજ્યમાં હાંડ થીજાવતી ઠંડીની શરૂઆત થશે. આગામી દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પારો 10 ડિગ્રીની નીચે જઈ શકે છે. આજે અમદાવાદમાં સૂસવાટા બોલાવતો પવન ફુંકાયો હતો અને પારો ગગડ્યો હતો.

 8.1 ડિગ્રી સાથે નલિયા ઠંડુંગાર


રાજ્યમાં આજે 8.1 ડિગ્રી સાથે  કચ્છનું નલિયા સૌથી ઠંડુ સ્થળ રહ્યું છે. ભુજમાં 10 અને કંડલામાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ગુજરાત હવામાન વિભાગે આગામી બે દિવસની આગાહી કરતા જણાવ્યું છે કે, કચ્છના કેટલાક વિસ્તારમાં આગામી દિવસમાં શીત લહેર છવાઈ શકે છે. કચ્છના નલીયા વિસ્તારમાં હજુ પણ પારો ગગડે તેવી શક્યતા છે. 


ગરમ કપડાનું વેચાણ વધ્યું


રાજ્યમાં શિયાળાની કાતિલ ઠંડી શરૂ થતા જ લોકોએ ગરમ કપડા પહેરવાનું શરૂ કરી દેવું પડ્યું છે. આ સાથે જ ઠંડીથી રક્ષણ આપતા ઉનના ગરમ વસ્ત્રોનું વેચાણ વધી ગયું છે. અમદાવાદ, રાજકોટ અને સુરતમાં ગરમ કપડાનું વેચાણ કરતા વેપારીઓ માટે કાતિલ ઠંડી આશિર્વાદરૂપ બની છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.