Gujaratમાં ગુલાબી ઠંડીનો અહેસાસ, અનેક શહેરોમાં તાપમાન ઘટ્યું, જાણો આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ?


  • Published By :
  • Published Date : 2023-10-31 10:56:23

રાજ્યમાં વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ધીમી ગતિએ શિયાળો ગુજરાતમાં દસ્તક આપી રહ્યો હોય તેવું લાગે છે. પહેલા વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીનો ચમકારો જોવા મળતો હતો જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થતો હતો. બપોરના સમયે તાપમાન પણ વધારે નોંધાતું હતું. ત્યારે હવે બપોરના સમયે પણ ઓછી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ગાંધીનગરમાં તાપમાનનો પારો 18 ડિગ્રીની આસપાસ પહોંચ્યો હતો. આ સાથે ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે તેવું કહીએ તો અતિશયોક્તિ ના લાગે. 

Navratri 2022: Home Department Issues Circular Regarding Loud Speaker  Timings During Navratri And Dussehra | Navratri 2022: નવરાત્રી અને દશેરામાં  લાઉડ સ્પીકર વગાડવાનો સમય નક્કી થયો, ગૃહ વિભાગે ...

નવરાત્રીમાં વરસાદની આગાહી કરાઈ હતી પરંતુ તે ખોટી સાબિત થઈ! 

ચોમાસાએ સત્તાવાર રીતે તો ગુજરાતમાંથી ઘણા સમય પહેલા વિદાય લઈ લીધી હતી. વરસાદની શક્યતા નહીંવત છે તેવી વાતો, તેવી આગાહી અનેક વખત સાંભળી હશે. તે બાદ ચક્રવાતની આગાહી કરવામાં આવી. અરબ સાગર તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે ચક્રવાત આવવાની ભીંતિ સેવાતી હોય છે. થોડા સમય પહેલા એવું મનાતું હતું કે ચક્રવાત 'તેજ' ગુજરાતના વાતાવરણમાં પલટો લાવી શકે છે. જો ચક્રવાત તેજ ગુજરાતમાં ટકરાશે તો બિપોરજોય જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. પરંતુ ચક્રવાત તેજ ગુજરાતમાં ન આવ્યું. નવરાત્રી દરમિયાન વરસાદ આવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી પરંતુ તેમની આગાહી ખોટી પડી. માત્ર કોઈ કોઈ જગ્યાએ વરસાદ પડ્યો હોય તેવી માહિતી સામે આવી હતી. 

ભાવનગર જિલ્લાના મિની કશ્મીર મહુવામાં ગાત્રો થીજાવતી ઠંડી : તાપમાન "૯"  ડીગ્રીએ પહોંચી ગયું...!!

ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

ગુજરાતના અનેક ભાગોમાં પડેલી ઠંડીની વાત કરીએ તો અમદાવાદમાં 21 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ડીસામાં 20.8, નલિયામાં 20.2, ગાંધીનગરમાં 18.4, સુરતમાં 21.7, વડોદરામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વલસાડમાં 18 ડિગ્રી, રાજકોટમાં 21.6 ડિગ્રી, કેશોદમાં 20.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તે સિવાય પણ ગુજરાતના અનેક ભાગોમાં ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.  

અંબાલાલ પટેલની મોટી આગાહીઃ ક્યાં સુધી માવઠાનો માર સહન કરવો પડશે? - ambalal  patel weather prediction for march april and may News18 Gujarati

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શિયાળાને લઈ આગાહી કરી છે. કડકડતી ઠંડીનો અહેસાસ ક્યારથી થશે તેની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમના પ્રમાણે નવેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહી શકે છે.પરંતુ ધીરે ધીરે શિયાળો કાતિલ બની જશે. તેમના પ્રમાણે આગામી દિવસોમાં ચક્રવાત આવવાની સંભાવના પણ છે. ભારતના અનેક રાજ્યો પર આ ચક્રવાતની અસર જોવા મળી શકે છે. 

આ વર્ષે કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી | this year  the increas of cold will increase the meteorological department informed

આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ? 

અંબાલાલ પટેલ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસ કેવું વાતાવરણ રહેશે.  05 થી 09 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં હવામાન આંશિક વાદળછાયું તેમજ આશિક ભેજવાળું રહે તેવી શક્યતા છે, તા. 07 થી 09 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભેજનું અને વાદળામાં વધારો થાય તેવી શક્યતા છે, એકલ દોકલ વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!