Mahisagarમાં ફરી એક વખત થયો આચારસંહિતાનો ભંગ, ભાજપની ચૂંટણી સભામાં દેખાયા હોમગાર્ડઝ કમાન્ડર... શિક્ષણ મંત્રી પણ હતા હાજર


  • Published By :
  • Published Date : 2024-05-03 15:32:36

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે.. થોડા દિવસ બાદ પ્રચાર પડઘમ શાંત થઈ જશે.. ચૂંટણી જ્યારથી જાહેર થાય છે ત્યારથી આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જતી હોય છે... પરંતુ અનેક વખત આચાર સંહિતા ભંગ કરતા સરકારી કર્મચારીઓ દેખાતા હોય છે.. થોડા સમય પહેલા આચારસંહિતા ભંગ કરતા શિક્ષક દેખાયા હતા ત્યારે હવે પોલીસકર્મી આચાર સંહિતા ભંગ કરતા દેખાયા છે... મહિસાગરના કડાણા તાલુકામાં યોજાયેલી શેરી સભામાં હોમગાર્ડ કમાન્ડર દેખાયા હતા.. 

હોમગાર્ડ કમાન્ડરે કર્યો આચારસંહિતાનો ભંગ! 

લોકસભા ચૂંટણી નજીક છે... રાજકીય પાર્ટીના નેતાઓ પ્રચાર કરતા દેખાય છે... કોઈ વખત જાહેર સભા યોજાય છે તો કોઈ વખત શેરી સભા યોજાય છે...આ સભાઓમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર હોય છે.. પરંતુ અનેક વખત કર્મચારીઓ પણ આવી સભાઓમાં દેખાય છે.. જો આચારસંહિતાનો ભંગ થાય છે તો કર્મચારીઓ વિરૂદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ થાય છે. થોડા સમય પહેલા શિક્ષક દ્વારા આચારસંહિતા ભંગ કરવામાં આવી હતી ત્યારે આ વખતે હોમગાર્ડ કમાન્ડર શેરી સભામાં દેખાયા હતા...


આચારસંહિતાનો કરાયો ભંગ!

મહીસાગરના કડાણા તાલુકાના મુનખૂટના મુવાડા ગામમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શેરી સભાનું આયોજન કરાયું હતું.. જેમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઉપસ્થિત હતા.. ભાજપની સભામાં હોમગાર્ડ કમાન્ડર તરીકે ફરજ બજાવતા જતીન જોશી જોવા મળ્યા હતા.. તે યુનિફોર્મ ડ્રેસ પહેરીને ત્યાં હાજર હતા.  ત્યારે જોવું રહ્યું કે ચૂંટણી પંચ દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે...   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.