DRI ટીમને મળી મોટી સફળતા, 30 કરોડની કિંમતના 2.97 કિલો કોકેઈનના જથ્થા સાથે બે નાઈજીરિયનની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-03-07 20:52:00

કોકેઈનની દાણચોરીના આરોપમાં મુંબઈ એરપોર્ટ પરથી બે નાઈજીરીયન નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ કેપ્સ્યુલ સ્વરૂપે કોકેઈન લઈ જતા હતા. આ કેપ્સ્યુલ્સની કિંમત લગભગ ત્રીસ કરોડ રૂપિયા છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી છે.


DRIને મળી હતી બાતમી


DRIના મુંબઈ યુનિટે ગુપ્ત માહિતીના આધારે કોકેઈનનું આ વિશાળ કન્સાઈનમેન્ટ જપ્ત કર્યું છે. તેને બાતમી મળી હતી કે બે નાઈજીરીયન નાગરિકો લાગોસથી અદીસ અબાબા થઈને મુંબઈ આવી રહ્યા છે અને તેમની પાસે માદક પદાર્થ છે.


શરીરમાં ડ્રગ્સ છુપાવ્યું 


DRIના અધિકારીઓએ બંનેને કોર્ટમાં રજૂ કર્યા અને તેમના શરીરમાં ડ્રગ્સ છુપાવ્યું હોવાના આધારે તેમની તબીબી તપાસની માંગ કરી. બાદમાં તબીબી તપાસમાં પુષ્ટિ થઈ કે બંને મુસાફરોએ કોઈ નશીલા પદાર્થ ધરાવતી કેપ્સ્યુલનું સેવન કર્યું હતું. તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ દિવસમાં બંનેમાંથી 167 કેપ્સ્યુલ કાઢવામાં આવી છે.


ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા


DRIઅધિકારીએ જણાવ્યું કે કેપ્સ્યુલમાં કુલ 2.97 કિલો કોકેઈન છે, જેની કિંમત 29.76 કરોડ રૂપિયા છે. બંને સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે,  આજે કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .