દક્ષિણ ગુજરાતમાં 400 જેટલા CNG પંપોના માલિકો કાલે હડતાળ પર ઉતરશે, હડતાળનું કારણ આ છે


  • Published By :
  • Published Date : 2023-02-05 21:01:22

CNG ગેસના વેચાણમાં કમિશનના વધારાની માગ સાથે દક્ષિણ ગુજરાતમાં 400 જેટલા સીએનજી પંપ હડતાળ કરશે. CNG પંપ માલિકોના એસોસિએશન દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આવતી કાલે દક્ષિણ ગુજરાતના સીએનજી પંપ પર ગેસ વિતરણનું કામ બંધ રહેશે. CNG પંપ માલિકોના એસોસિએશન તેવી પણ જાહેરાત કરી છે કે જો  માંગણી નહીં સ્વીકારાય તો આગામી 16મી ફેબ્રુઆરીથી તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ કરશે. કેન્દ્ર સરકારના આદેશ બાદ પણ કમિશનમાં વધારો થયો નથી તેવો CNG ડીલર્સ એસોસિએશને ઓઇલ કંપનીઓ પર આરોપ લગાવ્યો છે.


CNG વાહન ચાલકોને હાલાકી


દક્ષિણ ગુજરાતમાં એક સાથે  400 જેટલા CNG પંપ માલિકોની હડતાળની જાહેરાતે ચિંતા વધારી છે. CNG પંપ ધારકો હડતાળ પર ઉતરશે તો CNG વાહન ચાલકો જેવા કે રીક્ષા અને કાર ચાલકોને પરેશાની વેઠવાનો વારો આવશે. માગ પુરી ન થાય ત્યાં સુધી પંપના માલિકો દ્વારા હડતાળ યથાવત્ રાખવાની પણ ડીલર્સ એસોસિએશને ચીમકી ઉચ્ચારી છે. સુરત, નવસારી, ભરૂચ, અંકલેશ્વર સહિતના શહેરોમાં લોકોને હાલાકી ભોગવવી પડશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.