આવતી કાલે સીએનજી પંપ સંચાલકો નહીં કરે અચોક્કસ મુદ્દતની હડતાળ, 3 માર્ચથી હડતાળ પર ઉતરવાના હતા સંચાલકો


  • Published By :
  • Published Date : 2023-03-02 18:58:55

આવતી કાલથી સીએનજી પંપ સંચાલકો હડતાળ પર ઉતારવાના હતા પરંતુ આ નિર્ણયને મોકૂફ રાખવામાં આવ્યો છે. લાંબા સમયથી ડીલર માર્જિનમાં વધારો ન થતા તેઓ વિરોધ કરવાના હતા. આવતી કાલથી સીએનજી પંપના સંચાલકો અચોક્કસ મુદતની હડતાળ પર જવાના હતા. જેને કારણે સીએનજી પંપ આગળ ભારે ભીડ જોવા મળી હતી. સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ નિરાકરણ ન આવતા આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. 


હડતાળ પર ઉતરવાના હતા ડિલર 

ડીલર માર્જિનમાં વધારો થાય તે માટે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોશિએશન દ્વારા લાંબા સમયથી માગ કરવામાં આવી રહી હતી. પરંતુ તેમની માગનું નિરાકરણ ન આવતા આવતી કાલથી તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાના હતા. હડતાળ થાય તે પહેલા પંપ બહાર લાંબી લાઈનો જોવા મળી હતી. 


હડતાળ કરવાની રખાઈ મોકૂફ 

સીએનજી ડીલર્સ એસોસિએશનની બેઠકમાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને બંધના એલાનમાં સમર્થન આપ્યું હતું. સરકારને રજૂઆત કરવા છતાંય ડીલર માર્જિનમાં કોઈ વધારો ન થતાં આંદોલનનો માર્ગ પર ડિલરો ચાલવાના હતા. ત્યારે હવે આ મુદ્દતના નિર્ણયને હાલ માટે મોકૂફ રાખવામાં આવ્યો છે. જો ડિલરો હડતાળ પર ઉતર્યા હોત તો રીક્ષા ચાલકોને તેમજ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હોત.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.