કાળઝાળ મોંઘવારીથી ત્રસ્ત લોકોને મોટો આંચકો, આજથી CNG-PNGના ભાવ વધ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 13:15:37

કાળઝાળ મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ગયેલા દેશવાસીઓને દિવાળીના તહેવાર પહેલા વધુ એક ઝટકો લાગ્યો છે. દિલ્હી-એનસીઆરમાં સીએનજીના ભાવમાં વૃધ્ધી થઈ ગઈ છે.  કૂદકે ને ભૂસકે વધતી જતી મોંઘવારી વચ્ચે હવે CNG-PNGના ભાવ વધારાથી ટ્રાન્સપોર્ટેશન સહિત ઘર ખર્ચ ઉપર તેની સીધી કે આડકતરી રીતે અસર થશે. ટ્રાન્સપોર્ટિંગ ખર્ચમાં પણ વધારો થવાને પગલે ફળો અને શાકભાજીના ભાવમાં ઉછાળો આવશે. એટલે કે ચારે બાજુથી મોંઘવારી વધશે અને દિવાળી સુધી કોઈ રાહત મળશે નહીં.


કયા શહેરોમાં કેટલો વધારો થયો


ઈન્દ્રપ્રસ્થ ગેસ સર્વિસએ દિલ્હી-NCR સહિત કેટલાક શહેરોમાં 8 ઓક્ટોબરથી CNG અને PNGમાં 3 રૂપિયાનો વધારો કરી દીધો અને તેનો અમલ આજથી એટલે કે શનિવારથી થઈ ગયો છે. જેને પગલે દેશના વિવિધ શહેરોમાં કિંમતોમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં સીએનજીની કિંમત 75.61 રૂપિયાથી વધીને 78.61 રૂપિયા કરી દેવામાં આવી છે. જ્યારે નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં કિંમત 78.17 રૂપિયાથી વધારીને 81.17 રૂપિયા થઈ ગઈ છે. અન્ય જગ્યાની વાત કરવામાં આવે તો ગુરુગ્રામમાં સીએનજીની કિંમત 86.94 રૂપિયા, રેવાડીમાં 89.07 રૂપિયા, કરનાલમાં 87.27 રૂપિયા, મુઝફ્ફરનગરમાં 85.84 રૂપિયા અને કાનપુરમાં 89.81 રૂપિયા થઈ ગઈ છે. 



મોદી સરકારે ગેસના ભાવ 40 ટકા વધાર્યા હતા


થોડા દિવસો પહેલા પેટ્રોલિયમ મંત્રાલયે નેચરલ ગેસના ભાવમાં 40 ટકા સુધીનો વધારો કર્યો હતો. ત્યારથી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે દેશના અલગ-અલગ શહેરોમાં CNGના ભાવ પણ વધશે. જ્યારે નેચરલ ગેસ મોંઘો થાય છે ત્યારે CNG બનાવતી કંપનીઓ પર ભાવ વધારવાનું દબાણ હોય છે.



જાહેર પરિવહન માટે CNGનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. તેના કારણે વાહનોમાં ઈંધણની કિંમત વધી જશે.  આ ભાવ વધારીન સીધી અસર ભાડામાં વધારારૂપે થશે જે મોંઘવારી વધુ વધારશે. CNGના ભાવ વધારાની સીધી અસર ચોક્કસપણે આવનારા સમયમાં જોવા મળશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.