આખા ગુજરાતમાં ફરી શકશે CNG-પેટ્રોલ અને ઈ-રીક્ષા, સરકારે રિક્ષા ચાલકોને આપી ભેટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 11:58:00

દિવાળીના તહેવારને લઈ રાજ્ય સરકારે રિક્ષા ચાલકોને ભેટ આપી છે. જે અંતર્ગત રિક્ષા ચાલકો આખા ગુજરાતમાં ગમે ત્યાં ફરી શકે છે. પહેલા રિક્ષા ચાલકોને પોતાના જિલ્લામાં તેમજ પોતાના શહેરમાં જ રિક્ષા ફેરવવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ હવે સરકારે પરિપત્ર બહાર પાડી જાહેરાત કરી છે કે હવેથી ગુજરાતમાં CNG, પેટ્રોલ તેમજ ઈ-રિક્ષા ગમે સમગ્ર ગુજરાતમાં ફરી શકશે. પરંતુ આ પરિપત્રનો અમલ ડિઝલથી ચાલતી રિક્ષાઓ પર નહીં થાય.  

સરકારે બહાર પાડ્યું જાહેરનામું, હવે રિક્ષા ચાલકો આ એક કલરના યુનિફોર્મમાં  જોવા મળશે - GSTV

એક્સપ્રેસ વે સિવાય તમામ રસ્તાઓ ખુલ્યા રિક્ષા ચાલકો માટે 

ચૂંટણી નજીક આવી રહી છે. એક બાદ એક રાજકીય પક્ષો ગુજરાતમાં આવી પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. બીજા રાજ્યોના મોડલ બતાવી ગુજરાત મોડલ પર પ્રહાર કરી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે વાહન વ્યવહાર કમિશનરે પરિપત્ર બહાર પાડી રિક્ષા ચાલકોને ભેટ આપી છે. અત્યાર સુધી રિક્ષા ચાલકોને જે-તે જિલ્લા પૂરતી જ પરમિટ આપવામાં આવી હતી. જો બીજા જિલ્લામાં જાય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવતી હતી. પરંતુ મોટર વેહિકલ એક્ટની કલમ 39માં ફેરફાર કરવામાં આવ્યો છે જેથી રિક્ષા ચાલકો એક્સપ્રેસ સિવાયના તમામ માર્ગો પર રિક્ષા ચલાવી શક્શે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.