CMOના સંયુક્ત સચિવ પરિમલ શાહને પાણીચું અપાયું, PMOના આદેશ બાદ સરકારે લીધો નિર્ણય, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-09-03 14:58:10

ગુજરાત સરકારે આજે મહત્વનો નિર્ણય લેતા મુખ્યમંત્રી કાર્યાલય (CMO) ખાતે ફરજ બજાવી રહેલા સંયુક્ત સચિવ પરિમલ શાહની આખરે હકાલપટ્ટી કરી છે. રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય પત્રિકા કાંડમાં જીમિત શાહ અને તેના પિતા મુકેશ શાહનાનું નામ બહાર આવ્યા બાદ લેવામાં આવ્યો છે. જો કે, આ આ પત્રિકા અંગેની સ્ક્રીપ્ટ મુખ્યમંત્રી કાર્યાલયમાં લાંબા સમયથી ફરજ બજાવતા સંયુક્ત સચિવ પરિમલ શાહના કાર્યાલયમાં જ  લખાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)માં સચિવ સ્તરેથી પરિમલ શાહને રવાના કરવાની સુચના આવતાં ગુજરાત સરકારે આ અંગે નિર્ણય લીધો હતો.


પીકે મિશ્રાની સૂચના બાદ નિર્ણય 


સીએમઓના સંયુક્ત સચિવ પરિમલ શાહની આખરે હકાલપટ્ટી કરાઈ છે. પીએમઓના સચિવ પીકે મિશ્રાની સીધી સૂચના બાદ આ નિર્ણય લેવાયો છે. જોકે, આ બાબતે ગાંધીનગરમાં કોઈ કંઈ બોલવા તૈયાર નથી, તમામ અધિકારીઓએ મૌન સેવી લીધું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પરિમલ શાહ છેલ્લા કેટલાક વર્ષોથી સીએમઓમાં ફરજ બજાવતા. પરંતું તાજેતરમાં ગુજરાત ભાજપના નેતા પ્રદિપસિંહ વાઘેલાના પત્રિકાકાંડમાં પરિમલ શાહના ભાણિયા જીમિત શાહ અને પિતા મુકેશ શાહના નામ બહાર આવ્યા હતા. 


એ બી પંચાલને ચાર્જ  સોંપાયો


સીએમઓમાં જ બેસીને પરિમલ શાહે ભાજપના નેતા પ્રદિપસિંહ વાઘેલાની વિરુદ્ધના પત્રિકાના લખાણનો ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. તેઓ ગેસ કેડરના અધિરકારીઓને દબાવતા હોવાનો પણ આરોપ પણ તેમના પર લગાવવામાં આવી રહ્યો છે. જીમિત શાહની પૂછપરછ ચાલી રહી હતી ત્યારે જ પરિમલ શાહનું રાજીનામું લઈ લેવાય તેવી ચર્ચા હતી, પરંતું તેઓ બચી ગયા હતા. પરંતું આખરે પીએમઓમાંથી તેમને પાણીચું પકડાવી દેવાયું છે. હાલ તેમનો ચાર્જ સીએમઓમાં ઓએસડી તરીકે ફરજ બજાવતા એ બી પંચાલને સોંપાયો છે. આ ઉપરાંત તત્કાલીન આણંદ કલેક્ટર ડી. એસ. ગઢવીનું સ્ટીંગ ઓપરેશન કરનારા મહિલા એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ સાથે પણ પરિમલ શાહના તાર જોડાયેલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.