બિહારમાં CM નિતીશની મોટી જાહેરાત, અનામતનો વ્યાપ વધારીને 75% કરવાનો પ્રસ્તાવ વિધાનસભામાં રજુ


  • Published By :
  • Published Date : 2023-11-07 18:41:48

બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિગતવાર રિપોર્ટ મંગળવારે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. આ પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમારે એક મોટી વાત કહી. સીએમ નીતિશે રાજ્યમાં OBC અનામતનો વ્યાપ વધારીને 75 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.


બિહાર વિધાનસભામાં ચર્ચા દરમિયાન, સીએમ નીતિશે બિહારમાં અનામતનો વિસ્તાર 50 થી વધારીને 65 કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. EWS ના 10 ટકાનો સમાવેશ કરીને આરક્ષણને 75 ટકા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. ચર્ચા દરમિયાન સીએમ નીતિશે કહ્યું કે અનામત વધારવા માટે સલાહ લેવામાં આવશે. અમે આ સત્રમાં જ ફેરફારો લાગુ કરવા માંગીએ છીએ.


અનામતનો વ્યાપ કેવી રીતે વધારશે?


સીએમ નીતિશે કહ્યું કે સરકાર અનામતનો વ્યાપ વધારવા જઈ રહી છે. આ દરખાસ્ત મુજબ - - હાલમાં SC માટે 16 ટકા અનામત વધારીને 20 ટકા કરવામાં આવશે - STને 1 ટકાથી વધારીને 2 ટકા કરવામાં આવશે - EBC (એકસ્ટ્રીમલી બેકવર્ડ) અને OBCને મળીને 43 ટકા અનામત આપવામાં આવશે.


જાતિ આધારિત ગણતરી અંગેના મહત્વના મુદ્દા


વિધાનસભામાં રજૂ કરવામાં આવેલ જાતિ આધારિત વસ્તી ગણતરીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે બિહારમાં અનુસૂચિત જનજાતિમાં 42.70 ટકા ગરીબ પરિવારો છે. જ્યારે અનુસૂચિત જાતિના કુલ 42.93% પરિવારો ગરીબ છે.


સરકારી આંકડાઓ અનુસાર, રાજ્યમાં 33% લોકો શાળાએ પણ જતા નથી. એટલું જ નહીં રાજ્યમાં સૌથી ગરીબ વર્ગ ભૂમિહાર પરિવારો છે. તે પછી બ્રાહ્મણ પરિવારો છે. જ્યારે સામાન્ય વર્ગમાં ગરીબ પરિવારોની સંખ્યા 25.09 ટકા છે. પછાત વર્ગમાં 33.16 ટકા ગરીબ પરિવારો છે. અત્યંત પછાત (EBC)માં 33.58 ટકા ગરીબ પરિવારો છે. અનુસૂચિત જાતિમાં 42.93 ટકા ગરીબ પરિવારો છે. અનુસૂચિત જનજાતિમાં 42.70 ટકા ગરીબ પરિવારો છે. અન્ય જાતિઓમાં 23.72 ટકા ગરીબ પરિવારો છે.



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.