બિહારમાં CM નિતીશની મોટી જાહેરાત, અનામતનો વ્યાપ વધારીને 75% કરવાનો પ્રસ્તાવ વિધાનસભામાં રજુ


  • Published By :
  • Published Date : 2023-11-07 18:41:48

બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિગતવાર રિપોર્ટ મંગળવારે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. આ પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમારે એક મોટી વાત કહી. સીએમ નીતિશે રાજ્યમાં OBC અનામતનો વ્યાપ વધારીને 75 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.


બિહાર વિધાનસભામાં ચર્ચા દરમિયાન, સીએમ નીતિશે બિહારમાં અનામતનો વિસ્તાર 50 થી વધારીને 65 કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. EWS ના 10 ટકાનો સમાવેશ કરીને આરક્ષણને 75 ટકા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. ચર્ચા દરમિયાન સીએમ નીતિશે કહ્યું કે અનામત વધારવા માટે સલાહ લેવામાં આવશે. અમે આ સત્રમાં જ ફેરફારો લાગુ કરવા માંગીએ છીએ.


અનામતનો વ્યાપ કેવી રીતે વધારશે?


સીએમ નીતિશે કહ્યું કે સરકાર અનામતનો વ્યાપ વધારવા જઈ રહી છે. આ દરખાસ્ત મુજબ - - હાલમાં SC માટે 16 ટકા અનામત વધારીને 20 ટકા કરવામાં આવશે - STને 1 ટકાથી વધારીને 2 ટકા કરવામાં આવશે - EBC (એકસ્ટ્રીમલી બેકવર્ડ) અને OBCને મળીને 43 ટકા અનામત આપવામાં આવશે.


જાતિ આધારિત ગણતરી અંગેના મહત્વના મુદ્દા


વિધાનસભામાં રજૂ કરવામાં આવેલ જાતિ આધારિત વસ્તી ગણતરીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે બિહારમાં અનુસૂચિત જનજાતિમાં 42.70 ટકા ગરીબ પરિવારો છે. જ્યારે અનુસૂચિત જાતિના કુલ 42.93% પરિવારો ગરીબ છે.


સરકારી આંકડાઓ અનુસાર, રાજ્યમાં 33% લોકો શાળાએ પણ જતા નથી. એટલું જ નહીં રાજ્યમાં સૌથી ગરીબ વર્ગ ભૂમિહાર પરિવારો છે. તે પછી બ્રાહ્મણ પરિવારો છે. જ્યારે સામાન્ય વર્ગમાં ગરીબ પરિવારોની સંખ્યા 25.09 ટકા છે. પછાત વર્ગમાં 33.16 ટકા ગરીબ પરિવારો છે. અત્યંત પછાત (EBC)માં 33.58 ટકા ગરીબ પરિવારો છે. અનુસૂચિત જાતિમાં 42.93 ટકા ગરીબ પરિવારો છે. અનુસૂચિત જનજાતિમાં 42.70 ટકા ગરીબ પરિવારો છે. અન્ય જાતિઓમાં 23.72 ટકા ગરીબ પરિવારો છે.



સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..