CM કેજરીવાલનો દ્રઢ નિર્ધાર 'જો તમે BJPમાં જોડાઓ તો તમારા તમામ ખૂન માફ... હું ઝૂંકવાનો નથી'


  • Published By :
  • Published Date : 2024-02-04 19:07:08

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના ભાષણમાં દાવો કર્યો છે કે તેમના પર ભાજપમાં જોડાવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે પણ હું ક્યારેય ભાજપમાં જોડાઈશ નહીં. દિલ્હીના સીએમએ કહ્યું કે જો તમે ભાજપમાં જોડાશો તો તમામ ખૂન માફ છે, પરંતુ અમે શું ખોટું કર્યું છે? કિરારી વિધાનસભા ક્ષેત્રમાં બે નવી સરકારી શાળાઓનો શિલાન્યાસ કરતી વખતે, સીએમ કેજરીવાલે કહ્યું કે કોઈ અમને રોકવાનો ગમે તેટલો પ્રયાસ કરે, અમે દિલ્હીમાં જે શિક્ષણ ક્રાંતિની જ્યોત પ્રગટાવી છે તેને અમે ક્યારેય ઓલવા દઈશું નહીં.


કેજરીવાલ પર એજન્સીઓના દુરુપયોગનો આરોપ


કેજરીવાલે આરોપ લગાવ્યો કે સરકારી એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. તેમણે ફરી એકવાર મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પર નકલી કેસમાં જેલમાં ધકેલવાનો આરોપ લગાવ્યો હતો. સીએમએ કહ્યું, "બધી એજન્સીઓ કેજરીવાલની પાછળ પડી ગઈ છે. મનીષ સિસોદિયાની ભૂલ છે કે તે સારી શાળાઓ બનાવી રહ્યા હતા. સત્યેન્દ્ર જૈનની ભૂલ છે કે તે સારી હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક્સ બનાવી રહ્યા હતા. આજે જો મનીષ સિસોદિયાએ શાળાઓ પર કામ કર્યું ન હોત અને જો સત્યેન્દ્ર જૈન હૉસ્પિટલમાં કામ ન કરતો હોત તો તેની ધરપકડ ન થઈ હોત.


તમામ કાવતરાં કર્યા, પણ અમને ઝુકાવી શકશે નહીં


અરવિંદ કેજરીવાલે કહ્યું, "તેઓએ તમામ ષડયંત્ર રચ્યા, પરંતુ અમને ઝુકાવી શક્યા નહીં. જો તમે એમ વિચારતા હોવ કે અમે શાળાઓ અને હોસ્પિટલો બનાવવાનું બંધ કરી દઈશું, તો એવું નહીં થાય. શાળાઓ અને હોસ્પિટલો બનાવવામાં આવશે. ભલે તમે કેજરીવાલને જેલમાં નાખી દો. આજે તેઓ આપણું કોઈ નુકસાન કેમ કરી શકતા નથી? શાળામાં ભણેલા ગરીબ બાળકોના કરોડો માતા-પિતાના આશીર્વાદ અમારી પાસે છે અને જેને ગરીબોના આશીર્વાદ છે તેના પર ભગવાનના આશીર્વાદ હોય છે." તેમણે કહ્યું કે, "તેઓ અમારી વિરુદ્ધ ગમે તે ષડયંત્ર કરે, કંઈ થવાનું નથી અને હું પણ મક્કમ છું. હું તેમની સામે ઝૂકવાનો નથી. આ લોકો કહે છે કે તેઓ ભાજપમાં આવશે તો છોડી દેશે, મેં કહ્યું કે હું બીજેપીમાં બિલકુલ જોડાઈશ નહીં.", હું ક્યારેય ભાજપમાં જોડાઈશ નહીં. જો તમે ભાજપમાં જોડાશો તો તમામ લોહી ખૂન માફ છે. અમે શું ખોટું કર્યું છે, અમે ફક્ત શાળાઓ, રસ્તાઓ અને હોસ્પિટલો બનાવી રહ્યા છીએ. મને તમારા લોકો તરફથી પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે.  મારી એક જ વિનંતી છે. તમારા આ આશીર્વાદ કાયમ અમારી પર રાખજો મારે બીજુ કંઈ જોઈતું નથી."



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.