CM કેજરીવાલ અને ભગવંત માન આજે ગુજરાતની મુલાકાતે, ચૈતર વસાવાના સમર્થનમાં નેત્રંગ ખાતે સભા ગજવશે


  • Published By :
  • Published Date : 2024-01-07 12:17:23

આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વનકર્મીઓને ધમકાવવા અને ગોળીબાર કરવા બદલ હાલ રાજપીપળા જેલમાં બંધ છે, ત્યારે આપના કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 7 જાન્યુઆરી રવિવારના રોજ નેત્રંગ ખાતે સભા સંબોધશે. ઉલ્લેખનિય છે કે સીએમ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ શરૂઆતમાં ત્રણ દિવસનો હતો પરંતુ મુખ્યમંત્રીએ આગામી બજેટ સત્ર (6 જાન્યુઆરી) માટે નાણામંત્રી આતિષી અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજવાની હતી, તેથી તેમનો પ્રવાસ ટુંકાવીને બે દિવસનો કરવામાં આવ્યો છે. 


નેત્રંગ ખાતે જનસભા સંબોધશે 


આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ કેજરીવાલની ગુજરાત મુલાકાત અંગે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઇ વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી 7 જાન્યુઆરી રવિવારના રોજ નેત્રંગ ખાતે સભા સંબોધશે. 7 જાન્યુઆરીના રોજ બપોરના સમયે વડોદરા એરપોર્ટ પર તેમનું આગમન થશે. ત્યારબાદ તેઓ બપોરે 1:00 વાગે નેત્રંગ ખાતે સભા સ્થળ પર પહોંચશે અને સભા સંબોધશે. ત્યારબાદ સાંજે 7:00 વાગે પ્રદેશના આગેવાનો સાથે લોકસભા ચૂંટણીની સમીક્ષા બેઠક કરશે.


રાજપીપળા જેલમાં વસાવા સાથે કરશે મુલાકાત


વડોદરામાં રાત્રી રોકાણ બાદ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન બીજા દિવસે તારીખ 8 જાન્યુઆરી સોમવારના રોજ સવારે 11:00 વાગે રાજપીપળા જેલ પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની મુલાકાત લેશે. આ મુલાકાત બાદ તેઓ દિલ્હી જવા રવાના થશે. ઉલ્લેખનિય છે કે ચૈતર વસાવા લોકપ્રિય આદિવાસી ચહેરો છે તેથી AAPએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે વસાવા લોકસભાના ઉમેદવાર હશે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!