હર્ષ સંઘવીએ કહ્યું "બસમાં બેસીને રકાબીમાં ચા પીવો તો પણ ન ઢોળાય", પણ ખરેખર તેવા રસ્તાઓ છે?


  • Published By :
  • Published Date : 2023-02-13 19:41:32

રાજ્યની ભાજપ સરકાર વિવિધ પ્રકારના લોક કલ્યાણના કાર્યો દ્વારા પ્રજાના દિલ જીતવાના પ્રયાસો કરી રહી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ST ડેપો ખાતે 151 બસોનું લોકાર્પણ કર્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યકક્ષાનાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એસટી ડેપો ખાતે આ નવી 151 બસમાં 40 સ્લીપર કોચ અને 111 લરઝરી બસનો સમાવેશ થાય છે. સુરક્ષા અને સલામતીને ધ્યાનમા રાખીને આ બસની બોડી કોડ AIS-052અને CMVR મુજબ આ બસનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 40 સ્લીપર કોચ બસ 16 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી  છે, તો 111 લરઝરીનો બસોને 37 કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવી છે, જેનુ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ તમામ બસોમાં પાણી અને મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા છે.


હર્ષ સંઘવીના નિવેદને ચર્ચા જગાવી


ગાંધીનગરમાં આયોજીત બસ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. તેમણે કહ્યું કે 'નાગરિકોને સારી સુવિધા મળી રહે તે માટે વધુ બસનો ઉમેરો કરવામાં આવ્યો છે. તેમજ આ તમામ બસોમાં પાણી અને મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા મળી રહેશે. આ નવી બસોની વિશેષ ખાસિયત એ છે કે તેમાં બેસીને ચા રકાબીમાં પણ પીવો તો એ ન ઢોળાય અને ઉંમરલાયક લોકોને કોઈ પણ પ્રકારનો ઝટકા ન લાગે તેવા પ્રકારની સુવિધાયુક્ત આ બસો છે. અત્યારે 900 બસો શરૂ કરવા માટે તારીખ આપવામાં આવશે. અને તબક્કાવાર 150-150 બસો શરૂ કરવામાં આવશે. જો કે તેમાં રસપ્રદ બાબત એ છે કે રાજ્ય સરકારે લોકો માટે આવી મોંઘીદાટ બસો શરૂ તો કરી પણ આ બસમાં મુસાફરી દરમિયાન ચાની રકાબીમાંથી ચા પણ ન ઢોળાય તેવા માર્ગો ખરેખર આપણે ત્યા છે ખરાં? લોકો હવે આ સવાલ દબાયેલા અવાજમાં પુછી રહ્યા છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!