CM ભૂપેન્દ્ર પટેલે સોનગઢની શાળાની લીધી ઓચિંતી મુલાકાત, મીટરના ખુલ્લા વાયરો જોઈ કલેક્ટરને લગાવી ફટકાર


  • Published By :
  • Published Date : 2023-08-09 18:58:00

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલી ગુણસદાની આશ્રમ શાળાની મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે ગુણસદા પ્રા.શાળા ખાતે “મારી માટી, મારો દેશ” કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યા પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુણસદા પ્રા.શાળા ખાતે શાળાના કેમ્પસની મુલાકાત લીધી હતી. ગુણસદા પ્રા.શાળા ખાતે તેમણે “મારી માટી, મારો દેશ” કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે શાળા અને વિદ્યાર્થીઓના છાત્રાવાસમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરિક્ષણ કર્યું હતું. શાળાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીનું ધ્યાન શાળામાં વીજળીના મીટર ખુલ્લા તાર ખુલ્લા વાયરો જતાં તેઓ ચોંકી ઉઠયા હતા અને કલેક્ટરને ફટકાર લગાવી હતી લીધો હતો. 


કલેક્ટરને ફટકાર લગાવી


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળામાં મીટરના ખુલ્લા વાયરો મામલે કલેક્ટરનો ઉધડો લીધો હતો. શાળાની પરિસ્થિતી જોઇને શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે પણ બધી જ વ્યવસ્થા કરી દઇશું એમ કહીને ચાલતી પકડી હતી. શાળાની ઓચિંતી મુલાકાતને કારણે શિક્ષણબેડામાં પણ ફફડાટ ફેલાયો હતો. મુખ્યમંત્રી દ્વારા કલેક્ટરને સવાલો કરાતા તેઓ પણ હતપ્રભ થઇ ગયા હતા. ગુણસદાની આશ્રમ શાળા જિલ્લા પંચાયત સંચાલિત હસ્તક કામગીરી કરે છે. જો કે આ સમગ્ર મામલે મુખ્યમંત્રી મીડિયા સમક્ષ મૌન રહ્યા હતા. મુખ્યમંત્રીએ મીડિયા સમક્ષ બે હાથ જોડીને કંઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. 


CM ભૂપેન્દ્ર પટેલે લીધી શાળાની ઓચિંતી મુલાકાત


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ વર્ગખંડમાં જઈને વિદ્યાર્થીઓ સાથે સંવેદના સભર સંવાદ સાધતા ભણતર અંગે તેમજ શિક્ષણેત્તર પ્રવૃતિઓ અંગે વાર્તાલાપ કર્યો હતો.તેમણે વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ મેળવી સ્વર્ણિમ ભાવિનું ઘડતર કરવા પ્રેરણા આપી હતી. ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને સરકાર દ્વારા અમલી શૈક્ષણિક યોજનાઓ વિશે જણાવી આ યોજનાઓનો લાભ લઈને ભણીગણીને ખુબ પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી. CM ભૂપેન્દ્ર પટેલની સાથે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, રાજ્ય મંત્રી કુંવરજી ભાઇ હળપતિ સહિત અગ્રણીઓ અધિકારીઓ પણ જોડાયા હતા.


IAS ધવલ પટેલના રિપોર્ટ બાદ સરકાર એક્શન મોડમાં


રાજયના આદિવાસી જિલ્લાઓમાં શિક્ષણની કથળતી સ્થિતી મુદ્દે અગાઉ IAS ધવલ પટેલે પ્રાથમિક શિક્ષણ સચિવને છોટાઉદેપુરની 6 ગામની શાળાઓની મુલાકાત બાદ પત્ર લખ્યો હતો. જે પત્રમાં શાળાઓમાં રહેલી ક્ષતિઓનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ શિક્ષણતંત્રમાં હડકંપ મચી ગયો હતો. જો કે હવે સફાળા જાગીને મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીએ પણ સજાગ થઇને શાળાઓની મુલાકાત લઇને શાળાઓની વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!