સીએમ ભૂપેન્દ્ર પટેલની સાદગીએ જીત્યું પીએમ મોદીનું દિલ! PMએ ટ્વિટમાં સીએમના વખાણ કરતા લખ્યું 'તેમનું આ આચરણ જાહેર જીવનમાં સક્રિય લાખો લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે'


  • Published By :
  • Published Date : 2023-05-15 09:49:30

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની સાદગી માટે હમેશાં ચર્ચામાં રહેતા હોય છે. તેમની સાદગીના અનેક નેતાઓ વખાણ કરતા પણ દેખાયા છે. ત્યારે સીએમની સાદગીના વખાણ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યા છે. પોતાના ટ્વિટમાં પીએમ મોદીએ લખ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાર્વજનિક જીવનમાં નીતિમત્તા અને સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. આ લખાણ સાથે પીએમ મોદીએ બીજેપી ગુજરાત દ્વારા કરવામાં આવેલી પોસ્ટને શેર કરી છે. જેમાં લખવામાં આવ્યું છે કે દીકરાને સારવાર માટે મુંબઈ લઈ ગયા તે સરકારી એર એમ્બ્યુલન્સનું ભાડું ભર્યું છે.

  

એર એમ્બ્યુલન્સનું સીએમ ભૂપેન્દ્ર પટેલે ચૂકવ્યું ભાડુ!  

થોડા સમય પહેલા મુખ્યમંત્રીના દીકરા અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. સારવાર અર્થે તેમને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તે બાદ તેમને એર એમ્બ્યુલન્સની મદદથી મુંબઈની હિંદુજા હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે એર એમ્બ્યુલન્સનું ભાડુ સીએમે ચૂકવ્યું છે. સાથે જ તેઓ ચારથી પાંચ વખત ડોમેસ્ટિક ફ્લાઈટમાં પોતાનું ભાડુ ખર્ચીને મુંબઈ પણ ગયા છે. ત્યારે આ વાતના વખાણ પીએમ મોદીએ કર્યા છે. પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાર્વજનિક જીવનમાં નીતિમત્તા અને સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે તેમનું આ આચરણ જાહેર જીવનમાં સક્રિય લાખો લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે. હું તેમના પુત્ર અનુજ ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરું છું.


પીએમ મોદીએ ભૂપેન્દ્ર પટેલના કર્યા વખાણ!

મહત્વનું છે કે ભૂપેન્દ્ર પટેલની સાદગીના વખાણ અનેક વખત અનેક નેતાઓ દ્વારા કરવામાં આવતા હોય છે. રાજકારણ સાથે જોડાયેલા અનેક લોકો સરકારી પૈસે અનેક સુવિધાનો લાભ ઉઠાવતા હોય છે. સરકારી પૈસે અનેક યાત્રાઓ કરતા દેખાતા હોય છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બેસાડવામાં આવેલો દાખલો અન્ય માટે પ્રેરણારૂપ બને તેવા ભાવ સાથે પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે.  

   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!