CM ભૂપેન્દ્ર પટેલની PM મોદી અને અમિત શાહ સાથે દિલ્હીમાં બેઠક, બે કલાકની મીટીંગને લઈ અનેક તર્ક વિતર્ક


  • Published By :
  • Published Date : 2023-12-20 22:31:58

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં કેબિનેટની બેઠક અને અન્ય કામકાજ પૂર્ણ કર્યા બાદ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી જવા રવાના થયા છે. ભૂપેન્દ્ર પટેલ લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાનારી બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન મોદીએ બેઠક યોજી હતી, એવું પણ જાણવા મળ્યું છે કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે લોકસભાની સામાન્ય ચૂંટણીને છ મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે અને વિપક્ષના બે ધારાસભ્યોએ રાજ્યની વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે ત્યારે CM અને વડા પ્રધાન વચ્ચે આ બીજી બેઠક યોજાઈ રહી છે જેને લઈ રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે.


બે કલાકથી વધુ સમય સુધી ચાલી બેઠક


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ વચ્ચે બેઠક છેલ્લા બે કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. આ મહત્વની બેઠકનો એજન્ડા તો જાણી શકાયો નથી પણ ગુજરાતના મંત્રી મંડળમાં ફેરફાર અંગે ચર્ચા થઈ રહી હોવાની શક્યતા છે. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારમાં શું ફેરફાર થાય છે  તે તો આગામી સમય જ બતાવશે પણ આ બેઠકને લઈ ગાંધીનગર અને નવી દિલ્હીનું રાજકારણ ગરમાયું છે. 


PM મોદી આવશે ગુજરાત


આ બેઠકમાં રાજ્યના રાજકારણ ઉપરાંત  રાજ્યમાં યોજાનારી આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ અંગે પણ ચર્ચા થઈ હતી. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન વડા પ્રધાન મોદી 10 જાન્યુઆરી ગાંધીનગરમાં કરવાના છે. રાજ્ય સરકારે ગઈકાલે જણાવ્યું હતું કે વિવિધ રાષ્ટ્રોના પ્રધાન મંત્રીઓ અને રાષ્ટ્રપતિઓ, ભારત અને વિદેશની મોટી કંપનીના સીઈઓ સાથે સમિટમાં ભાગ લેશે. તે ઉપરાંત વડાપ્રધાન ટૂંક સમયમાં ગુજરાતમાં રાજકોટ એઈમ્સ અને સાબરમતીમાં મલ્ટી-મોડલ હબ અને બેટ દ્વારકા-ઓખા સી બ્રિજ સહિત અનેક વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કરે તેવી પણ શક્યતા છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!