CM ભૂપેન્દ્ર પટેલની PM મોદી અને અમિત શાહ સાથે દિલ્હીમાં બેઠક, બે કલાકની મીટીંગને લઈ અનેક તર્ક વિતર્ક


  • Published By :
  • Published Date : 2023-12-20 22:31:58

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં કેબિનેટની બેઠક અને અન્ય કામકાજ પૂર્ણ કર્યા બાદ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી જવા રવાના થયા છે. ભૂપેન્દ્ર પટેલ લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાનારી બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન મોદીએ બેઠક યોજી હતી, એવું પણ જાણવા મળ્યું છે કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે લોકસભાની સામાન્ય ચૂંટણીને છ મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે અને વિપક્ષના બે ધારાસભ્યોએ રાજ્યની વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે ત્યારે CM અને વડા પ્રધાન વચ્ચે આ બીજી બેઠક યોજાઈ રહી છે જેને લઈ રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે.


બે કલાકથી વધુ સમય સુધી ચાલી બેઠક


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ વચ્ચે બેઠક છેલ્લા બે કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. આ મહત્વની બેઠકનો એજન્ડા તો જાણી શકાયો નથી પણ ગુજરાતના મંત્રી મંડળમાં ફેરફાર અંગે ચર્ચા થઈ રહી હોવાની શક્યતા છે. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારમાં શું ફેરફાર થાય છે  તે તો આગામી સમય જ બતાવશે પણ આ બેઠકને લઈ ગાંધીનગર અને નવી દિલ્હીનું રાજકારણ ગરમાયું છે. 


PM મોદી આવશે ગુજરાત


આ બેઠકમાં રાજ્યના રાજકારણ ઉપરાંત  રાજ્યમાં યોજાનારી આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ અંગે પણ ચર્ચા થઈ હતી. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન વડા પ્રધાન મોદી 10 જાન્યુઆરી ગાંધીનગરમાં કરવાના છે. રાજ્ય સરકારે ગઈકાલે જણાવ્યું હતું કે વિવિધ રાષ્ટ્રોના પ્રધાન મંત્રીઓ અને રાષ્ટ્રપતિઓ, ભારત અને વિદેશની મોટી કંપનીના સીઈઓ સાથે સમિટમાં ભાગ લેશે. તે ઉપરાંત વડાપ્રધાન ટૂંક સમયમાં ગુજરાતમાં રાજકોટ એઈમ્સ અને સાબરમતીમાં મલ્ટી-મોડલ હબ અને બેટ દ્વારકા-ઓખા સી બ્રિજ સહિત અનેક વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કરે તેવી પણ શક્યતા છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.