CM ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ કરશે 24 યાત્રાધામોની સફાઈ, અખાત્રીજના દિવસ થશે પ્રારંભ


  • Published By :
  • Published Date : 2023-04-19 20:00:39

ગુજરાતના પવિત્ર યાત્રાધામોની સ્વચ્છતાને લઈ ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે મોટી પહેલ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ મંત્રીઓ દ્વારા મંદિરોમાં સફાઈ કરવામાં આવશે. સરકારના નિર્ણય મુજબ રાજ્યના 24 જેટલા ધાર્મિક સ્થળોની કરાશે સફાઇ કરવામાં આવશે.મુખ્યમંત્રી અને મંત્રીઓ જ નહીં ધારાસભ્ય અને સાંસદો પણ આ સફાઈ અભિયાનમાં જોડાશે. આ નેતાઓ સોમનાથ, દ્વારકા, ગીરનાર, અંબાજી સહિતના યાત્રાધામોની મુલાકાત લઈ ત્યાંની સફાઈ કરશે.


કોણ ક્યાં સફાઈ કરશે?


ગાંધીનગરના સચિવાલયના સુત્રોના જણાવ્યા પ્રમાણે અખાત્રીજના દિવસે રાજ્યભરના પવિત્ર યાત્રાધામોની સફાઈને લઈને એક વિશેષ અભિયાન આ દિવસે ચલાવવામાં આવશે. જેમાં સી.આર પાટીલ, સુરતના અંબાજી મંદિર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજકોટના કરણસિંહજી બાલાજી હનુમાન, ઋષિકેશ પટેલ, ઊંઝા ઉમિયા ધામ ખાતે  ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, ડાંગના સબરીધામની સફાઈ કરશે.


અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતે હર્ષ સંઘવી, ગાંધીનગરના અક્ષરધામ ખાતે જગદીશ વિશ્વકર્મા, જુનાગઢ અંબાજી મંદિર ખાતે રાઘવજીભાઈ પટેલ, મહેસાણાના બેચરાજી ખાતે બળવંતસિંહ રાજપુત દ્વારકાધીશ મંદિર ખાતે મૂળભાઈ બેરા,બનાસકાંઠાના અંબાજી મંદિર ખાતે બચુભાઈ ખાબડ અને સુરતના કામરેજ ખાતે ગાયપગલા મંદિર ખાતે મુકેશ પટેલ આ અભિયાનમાં જોડાશે.


તે ઉપરાંત ડાકોર ખાતે રમણ સોલંકી માતાના મઢ કચ્છ ખાતે વિનોદ ચાવડા, શામળાજી ખાતે ભીખુ સિહજી પરમાર પાવાગઢ ખાતે જેઠાભાઈ ભરવાડ, સૂર્યમંદિર મોઢેરા ખાતે શારદાબેન પટેલ અને રમેશભાઈ કાગવડ ખોડલધામ ખાતે સફાઈ અભિયાનનું નેતૃત્વ કરશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.