CMના કાફલામાં માટે 12 ટોયોટા ફોર્ચ્યુનર, બુલેટપ્રૂફ ગાડીઓ પાછળ ખર્યાયા રૂ. 25 કરોડ


  • Published By :
  • Published Date : 2023-02-21 16:52:18

રાજ્યના મુખ્યમંત્રીના અંગત વાહનોના કાફલામાં હવે નવીનક્કોર ગાડીઓનો ઉમેરો થયો છે. CM ભૂપેન્દ્ર પટેલની સરકારે તેમના અંગત પ્રવાસ માટે 12 ટોયોટા ફોર્ચ્યુનર ગાડીઓ ખરીદી છે. ભૂપેન્દ્ર પટેલે મહિન્દ્રા સ્કોર્પિયો ગાડીઓને બદલીને હવે ફોર્ચ્યુનર ગાડીઓ ખરીદવા પાછળ લગભગ 25 કરોડ રૂપિયા ખર્ચાયા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

 

બુલેટપ્રૂફ, GPS ટેકનોલોજીથી સુસજ્જ 


CM ભૂપેન્દ્ર પટેલ પોતાના કાફલામાં સાથે એક જ રંગની ફોર્ચ્યુનર ગાડીમાં સવાર થઇને સચિવાલય આવ્યા હતા. આ ગાડીના ડેશબોર્ડ પર CM ભૂપેન્દ્ર પટેલના આસ્થાના કેન્દ્ર એવા સિમંધર સ્વામીની સફેદ પ્રતિમા પણ મૂકવામાં આવી છે. ગાડીઓના કાફલામાં સામાન્ય રીતે છ ગાડી રહે છે, પરંતુ ઇમર્જન્સીના સમયમાં ઉપયોગમાં લેવી પડે એમ હોય તો એક સ્ટેન્ડબાય કાફલા તરીકે અન્ય છ ગાડીને પણ રાખવામાં આવી છે. આ તમામ ગાડીઓ બુલેટપ્રૂફ, જીપીએસ અને અન્ય સુરક્ષા સહિતની ટેકનોલોજીથી સુસજ્જ છે. 


પૂર્વ CM મોદીએ ખરીદી હતી સ્વદેશી સ્કોર્પિયો 


નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે વખતે તેમણે મુખ્યમંત્રીના કાફલા માટે ઉપયોગમાં લેવાતી  જુની કોન્ટેસા કારોને તિંલાંજલિ આપી હતી. પૂર્વ સીએમ મોદીએ સુરક્ષાના કારણોથી મહેન્દ્રા કંપનીની મજબુત સ્કોર્પિયો પર પસંદગી ઉતારી હતી. ત્યાર બાદના તમામ મુખ્યમંત્રીઓ જેવા કે આનંદીબહેન પટેલ, વિજય રૂપાણી અને બાદમાં હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પહેલી ટર્મમાં સ્કોર્પિયો કારનો જ ઉપયોગ કર્યો હતો. 



ગઈકાલે બ્રિટેનમાં સત્તા પરિવર્તન થઈ.. ઋષિ સુનકની પાર્ટીની હાર થઈ અને લેબર પાર્ટીનો વિજય થયો. ત્યારે આજે ઈરાનમાં થયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું છે.. ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન દેશના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતથી હરાવ્યા હતા. એટલે હવે ઈરાનમાં સૂદ પેઝેશ્કિયન રાજ જોવા મળવાનો છે..

પ્રેમમાં પાગલ અનેક લોકો હોય છે. પ્રેમીઓ એક બીજાના વિચારોમાં જ ખોવાયેલા દેખાતા હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના.

ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થઈ ગઈ છે જે બાદ જલ્દી જ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે તેવી સંભાવના છે. ગઈકાલે કારોબારી બેઠક દરમિયાન સી.આર.પાટિલે પોતાના ભાષણમાં ઘણા એવા મુદ્દા પર વાત કરી જે ચર્ચાનો વિષય બની છે. ચૂંટણી બાદ ફરી એક વાર સી.આર.પાટિલે ક્ષત્રિય સમાજને યાદ કર્યો છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓ પર આપેલા નિવેદનને લઈ ગત 2 જુલાઈના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામ- સામે પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ હવે રાહુલ ગાંધી પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આવી રહ્યા છે.