Covid-19: કોરોના સંક્રમણ મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલે લોકોને કરી આ અપીલ


  • Published By :
  • Published Date : 2022-12-23 14:22:40

ચીનમાં કોરોના સંક્રમણ ખતરનાક રીતે વધી રહ્યું છે. વિશ્વના અન્ય દેશો જેવા કે જાપાન, સિંગાપોર, અમેરિકા અને બ્રાઝિલમાં કોરોના કેસ વધી રહ્યા છે જેના કારણે ભારત સરકાર પણ ચિંતિત છે. કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ લોકોને કોરોના સંક્રમણથી સતર્ક રહેવાની અપીલ કરી હતી. કોરોના સંક્રમણ મુદ્દે મનસુખ માંડવિયા આજે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ લોકોને તકેદારી રાખીને માસ્ક પહેરવા માટે અપીલ કરી હતી.


CM ભૂપેન્દ્ર પટેલે શું અપીલ કરી?


અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. જેમાં તેમણે કોરોના મુદ્દે લોકોને કહ્યું હતું કે, અહીં તમે કેટલાક લોકો માસ્ક પહેરીને આવ્યા તે સારી બાબત છે. તમને જોઈને હવે મારે પણ માસ્ક પહેરવાનું શરૂ કરવું પડશે. હવે કોરોના ફરીથી શરૂ થઈ ગયો છે. એવામાં આપણે માસ્ક પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ. જો સાવચેતી રાખીશું તો સારું રહેશે, મેળાવડામાં જવાનું ટાળવું જોઈએ. મેળાવડા હોય ત્યાં માસ્ક પહેરીને જવું જોઈએ. 


આરોગ્ય મંત્રીએ યોજી હતી બેઠક


કોરોના સંક્રમણને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ગઈકાલે ગાંધીનગરમાં ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજી હતી. જેમાં કોરનાના મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ચર્ચા બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, હાલ ગુજરાતની સ્થિતિ એટલી ગંભીર થઈ નથી તેથી કડક નિયમો લાગુ કરવાની હાલ કોઈ વાત નથી. હાલ લોકો કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે વર્તન કરે તે યોગ્ય છે. સરકાર કેન્દ્રની ગાઈડલાઈન્સથી આગળ વધશે.




જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.

હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે