રાજસ્થાનના બે દિગ્ગજ નેતા કોરોના સંક્રમિત, CM અશોક ગેહલોત અને પૂર્વ CM વસુંધરા રાજેનો ટેસ્ટ પોઝિટિવ


  • Published By :
  • Published Date : 2023-04-04 18:58:37

દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, રાજસ્થાનમાં પણ કોરોનાના કેસમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ સીએમ વસુંધરા રાજે કોરોના સંક્રમિત થયા છે. બંને નેતાઓએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.

  

અશોક ગેહલોત  ટ્વીટ કર્યું


રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી કે તેમને કોરોનાના હળવા લક્ષણો છે, અને તબીબોની સલાહ પ્રમાણે તેઓ થોડા દિવસ સુધી હોમ ક્વોરન્ટાઈન રહેશે.


વસુંધરા રાજે પણ સંક્રમિત


રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે પણ કોરોના સંક્રમિત થયા છે. તેમણે મંગળવારે ટ્વીટ કરીને તે અંગે માહિતી આપી છે. વસુંધરાએ ટ્વીટ કર્યું, કોવિડ ટેસ્ટની રિપોર્ટમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તબીબોની સલાહ પર હું સંપુર્ણપણે ક્વોરન્ટાઈન છું. રાજેએ કહ્યું કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે પણ પોતાનો ટેસ્ટ કરાવે અને સાવધાની રાખે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.