બ્રેકિંગ ન્યૂઝ! રાજસ્થાનના CM અશોક ગેહલોતને પગમાં ઈજા, જયપુરની SMS હોસ્પિટલમાં દાખલ કરાયા


  • Published By :
  • Published Date : 2023-06-29 21:44:16

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત ઘાયલ થયા છે, તેમના પગમાં ઈજા થઈ છે. તેઓ સારવાર માટે જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. સીએમ ગેહલોતના પગમાં ઈજાના કારણે તેમને એસએમએસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે, ગેહલોતને આ ઈજા સીએમ આવાસમાં ફરતી વખતે થઈ હતી.



પગ લપસી જતા પગના અંગુઠામાં ઈજા


સીએમ ગેહલોતના સત્તાવાર નિવાસસ્થાનમાં જ તેમનો પગ લપસી ગયા બાદ પગના અંગુઠામાં ઈજા થઈ હતી, જેના કારણે લોહી વહેવા લાગ્યું હતું. જે બાદ તેમને એસએમએસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. જ્યાં તેમનું ડ્રેસિંગ કરવામાં આવ્યું છે. ત્યાર બાદ પગનો એક્સ-રે પણ કરવામાં આવશે. ડોક્ટરોની આખી ટીમ મુખ્યમંત્રી અશોક ગેહલોતની તપાસ કરી રહી છે. PCC ચીફ ગોવિંદ સિંહ ડોટાસરા અને મંત્રી ભજન લાલ જાટવ પણ SMS હોસ્પિટલ પહોંચ્યા છે.


અગાઉ મમતા બેનર્જી પણ ઘાયલ થયા હતા


અશોક ગેહલોત પહેલા બંગાળના સીએમ મમતા બેનર્જી પણ ઘાયલ થયા હતા. 27 જૂને તેમના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ લેન્ડિંગમાં મમતા બેનર્જીને ઈજા થઈ હતી. તેમના ઘૂંટણ અને કમરના પાછળના ભાગે ઈજા થઈ હતી. આ પછી તે હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલથી બહાર નીકળતી વખતે મમતા પણ વ્હીલ ચેર પર જોવા મળ્યા હતા.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!