2000 રૂપિયાની નોટ પર RBIના નિર્ણય અંગે CM કેજરીવાલે કર્યું ટ્વીટ, મોદીને કહ્યા અભણ PM, ગોપાલ ઈટાલિયાએ પણ કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-05-20 12:31:31

RBIએ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. જે નોટો હાલ ચલણમાં છે તે 30 સપ્ટેમ્બર 2023 સુધી બદલી શકાશે. આ દરમિયાન દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ફરી એક વખત પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે. દિલ્હીના સીએમએ કહ્યું કે અમે એટલા માટે જ કહીએ છીએ કે વડાપ્રધાન શિક્ષિત હોવા જોઈએ. એક અભણ પીએમને કોઈ પણ વ્યક્તિ કંઈ પણ બોલી જાય છે. આ જ મુદ્દે ગોપાલ ઈટાલિયા પણ પીએમ મોદીની ટીકા કરતું ટ્વીટ કર્યું છે.


CM અરવિંદ કેજરીવાલે આ ટ્વીટ કર્યું


સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું, "પહેલાં કહ્યું હતું કે 2000ની નોટ લાવીને ભ્રષ્ટાચાર બંધ થઈ જશે. હવે તેઓ કહીં રહ્યા છે કે 2000ની નોટને નાબૂદ કરવાથી ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે. એટલા માટે જ અમે કહીએ છીએ કે, PM શિક્ષિત હોવા જોઈએ. એક અભણ PM કોઈ કંઈ પણ કહે છે. તેને સમજણ પડતી નથી, પણ તેનું પરિણામ જનતાને ભોગવવું પડે છે.


ગોપાલ ઈટાલિયાએ પણ સાધ્યું નિશાન


CM અરવિંદ કેજરીવાલ બાદ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને  મહારાષ્ટ્રના સહપ્રભારી ગોપાલ ઈટાલિયાએ પણ પીએમ પર નિશાન સાધી ટ્વીટ કર્યું છે. "તેમણે મોદી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે વારંવાર નોટ બદલવાનથી ભ્રષ્ટાચાર ખતમ નહીં થાય, આ વખતે તો ચોથું ધોરણ પાસ અભણને જ બદલવો પડશે"






થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!