2000 રૂપિયાની નોટ પર RBIના નિર્ણય અંગે CM કેજરીવાલે કર્યું ટ્વીટ, મોદીને કહ્યા અભણ PM, ગોપાલ ઈટાલિયાએ પણ કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-05-20 12:31:31

RBIએ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. જે નોટો હાલ ચલણમાં છે તે 30 સપ્ટેમ્બર 2023 સુધી બદલી શકાશે. આ દરમિયાન દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ફરી એક વખત પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે. દિલ્હીના સીએમએ કહ્યું કે અમે એટલા માટે જ કહીએ છીએ કે વડાપ્રધાન શિક્ષિત હોવા જોઈએ. એક અભણ પીએમને કોઈ પણ વ્યક્તિ કંઈ પણ બોલી જાય છે. આ જ મુદ્દે ગોપાલ ઈટાલિયા પણ પીએમ મોદીની ટીકા કરતું ટ્વીટ કર્યું છે.


CM અરવિંદ કેજરીવાલે આ ટ્વીટ કર્યું


સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું, "પહેલાં કહ્યું હતું કે 2000ની નોટ લાવીને ભ્રષ્ટાચાર બંધ થઈ જશે. હવે તેઓ કહીં રહ્યા છે કે 2000ની નોટને નાબૂદ કરવાથી ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે. એટલા માટે જ અમે કહીએ છીએ કે, PM શિક્ષિત હોવા જોઈએ. એક અભણ PM કોઈ કંઈ પણ કહે છે. તેને સમજણ પડતી નથી, પણ તેનું પરિણામ જનતાને ભોગવવું પડે છે.


ગોપાલ ઈટાલિયાએ પણ સાધ્યું નિશાન


CM અરવિંદ કેજરીવાલ બાદ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને  મહારાષ્ટ્રના સહપ્રભારી ગોપાલ ઈટાલિયાએ પણ પીએમ પર નિશાન સાધી ટ્વીટ કર્યું છે. "તેમણે મોદી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે વારંવાર નોટ બદલવાનથી ભ્રષ્ટાચાર ખતમ નહીં થાય, આ વખતે તો ચોથું ધોરણ પાસ અભણને જ બદલવો પડશે"






21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.