ગટર અને સેપ્ટિક ટાંકીની સફાઈ કરતા દેશમાં 339 અને ગુજરાતમાં 28 લોકોના મોત: કેન્દ્ર


  • Published By :
  • Published Date : 2023-07-25 19:37:35

મેન્યુઅલ સ્કેવેજિંગ મેલુ ઉપાડવાનું કામ કાયદાની રીતે તો પ્રતિબંધિત છે જ, પરંતુ માનવીય દૃષ્ટિએ જોતા પણ સ્વીકાર્ય નથી. જો કે દેશમાં હજુ પણ આ પ્રથા અસ્તિત્વમાં છે, ગરીબી અને વૈકલ્પિક રોજગારીની તકોના અભાવને કારણે ગુજરાત સહિતના દેશના અન્ય રાજ્યોમાં છેલ્લા ત્રણ દાયકામાં ગટર અને સેપ્ટિક ટાંકીની સફાઈ એટલે કે મેન્યુઅલ સ્કેવેન્જિંગના કારણે શ્રમિકોના મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. લોકસભાના ચોમાસું સત્ર દરમિયાન સરકારે આપેલી જાણકારી મુજબ ગટર અને સેપ્ટિક ટાંકીઓ સાફ કરતી વખતે છેલ્લા પાંચ વર્ષમાં દેશભરમાં 339 લોકોના મોત નીપજ્યાં હતા. જ્યારે ગુજરાતમાં વર્ષ 2018થી 2023 સુધીમાં 28 લોકોના મોત નીપજ્યાં હતા.


મંત્રી રામદાસ આઠવલેએ આપી જાણકારી


લોકસભાના ચોમાસું સત્ર દરમિયાન પૂછાયેલા એક સવાલનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ આ જાણકારી આપી હતી. લોકસભામાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયને ગટર અને સેપ્ટિક ટાંકીઓ સાફ કરવા સંદર્ભે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. મંત્રી રામદાસ આઠવલેના જણાવ્યા પ્રમાણે દેશમાં ગટર અને સેપ્ટિક ટાંકીઓ સાફ કરવા દરમિયાન 339 લોકોના મોત થયા છે. દેશમાં 2023માં 9, 2022માં 66, 2021માં 55, 2020માં 22, 2019માં 117 અને 2018માં 67 લોકોના મોત નીપજ્યાં હતા.


ગુજરાતમાં સફાઈ કામદારોના મોતે ચિંતા વધારી


ગુજરાતમાં ભૂગર્ભ ગટરમાં સફાઈ કરવા ઉતરેલા કામદારોના મોતે આ મુદ્દાને ચર્ચાનો વિષય બનાવી દીધો છે. લોકસભામાં જણાવવામાં આવેલા આંકડા અનુસાર, ગુજરાતમાં 2018થી 2023 સુધીમાં કુલ 28 લોકોના ગટર અને સેપ્ટિક ટાંકીઓ સાફ કરતી વખતે મૃત્યુ થયા હતા. સૌથી વધુ મોત 2019માં નોંધાયા હતા. વર્ષ અનુસાર જોઇએ તો 2018માં 2, 2019માં 14, 2021માં 5, 2022માં 4 અને 2023માં 3 લોકોના મોત નીપજ્યાં હતા. અત્રે ઉલ્લેખનિય છે કે આ પૂર્વે જાહેર થયેલા સફાઈ કામદારોના મોત આંકડા મુજબ ગુજરાત દેશભરમાં બીજા ક્રમાંકે હતું જ્યારે તમિળનાડુ પહેલા ક્રમે હતું જ્યાં ત્રણ દાયકામાં 218 જણે જીવ ગુમાવ્યા હતા.જ્યારે ગુજરાતમાં 136 જણે જીવ ગુમાવ્યા હતા. ઉત્તર પ્રદેશમાં 105, દિલ્હીમાં 99 તો મહારાષ્ટ્રમાં 45 જણે જીવ ગુમાવ્યા હતા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.