ગટર અને સેપ્ટિક ટાંકીની સફાઈ કરતા દેશમાં 339 અને ગુજરાતમાં 28 લોકોના મોત: કેન્દ્ર


  • Published By :
  • Published Date : 2023-07-25 19:37:35

મેન્યુઅલ સ્કેવેજિંગ મેલુ ઉપાડવાનું કામ કાયદાની રીતે તો પ્રતિબંધિત છે જ, પરંતુ માનવીય દૃષ્ટિએ જોતા પણ સ્વીકાર્ય નથી. જો કે દેશમાં હજુ પણ આ પ્રથા અસ્તિત્વમાં છે, ગરીબી અને વૈકલ્પિક રોજગારીની તકોના અભાવને કારણે ગુજરાત સહિતના દેશના અન્ય રાજ્યોમાં છેલ્લા ત્રણ દાયકામાં ગટર અને સેપ્ટિક ટાંકીની સફાઈ એટલે કે મેન્યુઅલ સ્કેવેન્જિંગના કારણે શ્રમિકોના મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. લોકસભાના ચોમાસું સત્ર દરમિયાન સરકારે આપેલી જાણકારી મુજબ ગટર અને સેપ્ટિક ટાંકીઓ સાફ કરતી વખતે છેલ્લા પાંચ વર્ષમાં દેશભરમાં 339 લોકોના મોત નીપજ્યાં હતા. જ્યારે ગુજરાતમાં વર્ષ 2018થી 2023 સુધીમાં 28 લોકોના મોત નીપજ્યાં હતા.


મંત્રી રામદાસ આઠવલેએ આપી જાણકારી


લોકસભાના ચોમાસું સત્ર દરમિયાન પૂછાયેલા એક સવાલનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ આ જાણકારી આપી હતી. લોકસભામાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયને ગટર અને સેપ્ટિક ટાંકીઓ સાફ કરવા સંદર્ભે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. મંત્રી રામદાસ આઠવલેના જણાવ્યા પ્રમાણે દેશમાં ગટર અને સેપ્ટિક ટાંકીઓ સાફ કરવા દરમિયાન 339 લોકોના મોત થયા છે. દેશમાં 2023માં 9, 2022માં 66, 2021માં 55, 2020માં 22, 2019માં 117 અને 2018માં 67 લોકોના મોત નીપજ્યાં હતા.


ગુજરાતમાં સફાઈ કામદારોના મોતે ચિંતા વધારી


ગુજરાતમાં ભૂગર્ભ ગટરમાં સફાઈ કરવા ઉતરેલા કામદારોના મોતે આ મુદ્દાને ચર્ચાનો વિષય બનાવી દીધો છે. લોકસભામાં જણાવવામાં આવેલા આંકડા અનુસાર, ગુજરાતમાં 2018થી 2023 સુધીમાં કુલ 28 લોકોના ગટર અને સેપ્ટિક ટાંકીઓ સાફ કરતી વખતે મૃત્યુ થયા હતા. સૌથી વધુ મોત 2019માં નોંધાયા હતા. વર્ષ અનુસાર જોઇએ તો 2018માં 2, 2019માં 14, 2021માં 5, 2022માં 4 અને 2023માં 3 લોકોના મોત નીપજ્યાં હતા. અત્રે ઉલ્લેખનિય છે કે આ પૂર્વે જાહેર થયેલા સફાઈ કામદારોના મોત આંકડા મુજબ ગુજરાત દેશભરમાં બીજા ક્રમાંકે હતું જ્યારે તમિળનાડુ પહેલા ક્રમે હતું જ્યાં ત્રણ દાયકામાં 218 જણે જીવ ગુમાવ્યા હતા.જ્યારે ગુજરાતમાં 136 જણે જીવ ગુમાવ્યા હતા. ઉત્તર પ્રદેશમાં 105, દિલ્હીમાં 99 તો મહારાષ્ટ્રમાં 45 જણે જીવ ગુમાવ્યા હતા.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!