જાહેર થયું ધોરણ 12 સાયન્સ પરીક્ષાનું પરિણામ, વિજ્ઞાન પ્રવાહનું આવ્યું 65.58 ટકા પરિણામ


  • Published By :
  • Published Date : 2023-05-02 10:26:51

ધોરણ 12 સાયન્સનું પરિણામ આવી ગયું છે. લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. વેબસાઈટ પર બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. જાહેર કરાયેલા પરિણામ મુજબ ઈંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓનું પરિણામ 67.18 ટકા આવ્યું છે જ્યારે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનું પરિણામ 65.32 ટકા આવ્યું છે. મોરબી સૌથી વધારે પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું આવ્યું છે. આ વખતે વિદ્યાર્થીઓનું પરિણામ 66.32 ટકા આવ્યું છે જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 64.66 ટકા આવ્યું છે. 


1 લાખથી વધારે વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા!

દરેક વિદ્યાર્થી માટે બોર્ડની પરીક્ષાનું પરિણામ અત્યંત મહત્વનું માનવામાં આવે છે. ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગ્રુપ એ અને ગ્રુપ બી મળીને 1.10 રેગ્યુલર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે રીપિટર 16 હજાર જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ગુજકેટમાં 1.26 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જો એ ગ્રુપના પરિણામની વાત કરીએ તો 72.27 ટકા નોંધાયું હતું જ્યારે ગ્રુપ બીનું પરિણામ 61.71 ટકા નોંધાયું છે. મહત્વનું છે કે દરેક વર્ષની જેમ આ વખતે પણ દાહોદ, નર્મદા, છોટાઉદેપુરનું પરિણામ સૌથી ઓછું નોંધાયું છે.    


આ નંબર પર વોટ્સએપ કરી મેળવી શકાશે રિઝલ્ટ!

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે gseb દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ www.gseb.org પર જોઈ શકાશે. તે ઉપરાંત વોટ્સએપ પર વિદ્યાર્થી પોતાનો બેઠક નંબર મોકલી પરિણામ મેળવી શકશે. પ્રથમ વખત છે જ્યારે પરિણામ માટે વોટ્સએપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 6357300971 નંબર પર બેઠક નંબર મોકલી રિઝલ્ટ મેળવી શકાશે.જો આ પ્રયોગ સફળ જશે તો આવનાર સમયમાં આ પદ્ધતિ અન્ય પરીક્ષાઓ દરમિયાન વાપરવામાં આવશે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.