10મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની પર લંપટ આચાર્યનું દુષ્કર્મ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 14:51:26

ભરૂચની સરસ્વતી વિદ્યાલયના આચાર્યે દસમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની પર નજર બગાડી દુષ્કર્મ કર્યું. વિદ્યાર્થિનીના પરિવારને ખબર પડતા ભરૂચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ પોલીસે સરસ્વતી વિદ્યાલયના લંપટ આચાર્યની ધરપકડ કરી. 


વિદ્યાર્થિનીને ધમકાવી દુષ્કર્મ આચર્યું 

સરસ્વતી વિદ્યાલયની વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી આચાર્યએ દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે પહેલીવાર આ ઘટના ઘટી ત્યારે વિદ્યાર્થિનીએ પોતાના પરિવારને જાણ નહોતી કરી. ફરીવાર આચાર્યએ વિદ્યાર્થિની સામે નજર બગાડતા વિદ્યાર્થિનીએ પરિવારને જાણ કરી દીધી હતી અને પરિવારે ભરૂચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ પોલીસ સમગ્ર મામલે આચાર્ય સામે તપાસ ચલાવી રહી છે. 


આપણા ધાર્મિક ગ્રંથો-શાસ્ત્રોમાં શિખવવામાં આવ્યું છે, गुरू ब्रह्मा गुरू विष्णु, गुरु देवो महेश्वरा गुरु साक्षात परब्रह्म, तस्मै श्री गुरुवे नमः પરંતુ આપણા સમાજમાં અત્યારે જે ઘટનાઓ સામે આવી રહી છે તે ઘૃણાસ્પદ છે. પ્રતિદિન સોશિયલ મીડિયા, ન્યૂઝપેપર અને ટીવીની હેડલાઈન આવા સમાચારોથી ભરાઈ રહી છે તે સંવેદનશીલ વિષય છે. માતા બાદ વિદ્યાર્થીનું ઘડતર કરનાર શિક્ષક હોય છે. શિક્ષક જો આવા ધંધા કરવા લાગશે તો ભારતીય સંસ્કૃતિ પર લાંછન લાગશે. વિદ્યાર્થીઓને શાળા અને ઘરે બંને જગ્યા પર સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ મામલે સમજણ આપવી જોઈએ. જેથી બાળક જાગૃત થઈ શકે અને સમાજમાં દાખલો બેસાડવા માટે કૃત્ય કરનારને કડકમાં કડક સજા થવી જોઈએ.     



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.