જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ યથવાત! રાજૌરીમાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને રક્ષામંત્રીએ પાઠવી શ્રદ્ધાંજલિ!


  • Published By :
  • Published Date : 2023-05-06 14:33:09

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ અને સુરક્ષા બળો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં પાંચ જવાનો શહીદ થયા હતા. મળતી માહિતી અનુસાર કાંડી વિસ્તારમાં સુરક્ષા બળોએ એક આતંકવાદીને મોતને ઘાટ ઉતાર્યો છે. જંગલમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી આર્મી જવાનોને મળી હતી. જે બાદ સેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ શુક્રવારે થયેલી અથડામણમાં પાંચ જવાનો શહીદ થયા હતા. રક્ષામંત્રી રાજનાથ સિંહ જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. રાજૌરીમાં વીર શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

 

શહીદ જવાનોના નામ લાન્સ નાઈક રુચિન સિંહ, નાઈક અરવિંદ કુમાર, હવાલદાર નીલમ સિંહ અને પેરાટ્રૂપર સિદ્ધાંત ચેત્રી, પ્રમોદ નેગી છે.

શુક્રવારે થયેલા હુમલામાં પાંચ જવાન થયા હતા શહીદ!

છેલ્લા ઘણા દિવસોથી જમ્મુ કાશ્મીરમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. શુક્રવાર રાત્રે કાંડી વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. ગુરૂવારે બિજબેહરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા બળો વચ્ચે અથડામણ થઈ હતી. ગુરૂવાર રાત્રે ફાયરિંગ થયું હતું. આ હમલામાં સેનાના જવાનને સામાન્ય ઈજા પહોંચી હતી. તે બાદ શુક્રવારે પણ સેનાના જવાન અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. 

રાજૌરીની મુલાકાતે રક્ષામંત્રી રાજનાથસિંહ!

જંગલમાં છૂપાયા હોવાની જાણકારી સેનાને મળી હતી જેને લઈ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર આ તે જ આતંકવાદીઓ છે જેમણે આર્મી ટ્રક પર હુમલો કર્યો હતો. શનિવારે કરહમ કુંજરમાં પણ પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે આજે સવારે અથડામણ થઈ હતી. સવારે ચાર વાગ્યાથી આ અથડામણ શરૂ થઈ હતી જે હમણાં પણ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર આ હુમલામાં એક આતંકવાદી ઠાર થયો હતો જ્યારે અન્ય એક આતંકવાદી ઘાયલ થયો છે. AK 47 પણ મળી આવી છે. ત્યારે અથડામણમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી આપવા રાજનાથ સિંહ પહોંચ્યા હતા. તે સિવાય જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે પણ શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી હતી.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!