જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ યથવાત! રાજૌરીમાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને રક્ષામંત્રીએ પાઠવી શ્રદ્ધાંજલિ!


  • Published By :
  • Published Date : 2023-05-06 14:33:09

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ અને સુરક્ષા બળો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં પાંચ જવાનો શહીદ થયા હતા. મળતી માહિતી અનુસાર કાંડી વિસ્તારમાં સુરક્ષા બળોએ એક આતંકવાદીને મોતને ઘાટ ઉતાર્યો છે. જંગલમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી આર્મી જવાનોને મળી હતી. જે બાદ સેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ શુક્રવારે થયેલી અથડામણમાં પાંચ જવાનો શહીદ થયા હતા. રક્ષામંત્રી રાજનાથ સિંહ જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. રાજૌરીમાં વીર શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

 

શહીદ જવાનોના નામ લાન્સ નાઈક રુચિન સિંહ, નાઈક અરવિંદ કુમાર, હવાલદાર નીલમ સિંહ અને પેરાટ્રૂપર સિદ્ધાંત ચેત્રી, પ્રમોદ નેગી છે.

શુક્રવારે થયેલા હુમલામાં પાંચ જવાન થયા હતા શહીદ!

છેલ્લા ઘણા દિવસોથી જમ્મુ કાશ્મીરમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. શુક્રવાર રાત્રે કાંડી વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. ગુરૂવારે બિજબેહરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા બળો વચ્ચે અથડામણ થઈ હતી. ગુરૂવાર રાત્રે ફાયરિંગ થયું હતું. આ હમલામાં સેનાના જવાનને સામાન્ય ઈજા પહોંચી હતી. તે બાદ શુક્રવારે પણ સેનાના જવાન અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. 

રાજૌરીની મુલાકાતે રક્ષામંત્રી રાજનાથસિંહ!

જંગલમાં છૂપાયા હોવાની જાણકારી સેનાને મળી હતી જેને લઈ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર આ તે જ આતંકવાદીઓ છે જેમણે આર્મી ટ્રક પર હુમલો કર્યો હતો. શનિવારે કરહમ કુંજરમાં પણ પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે આજે સવારે અથડામણ થઈ હતી. સવારે ચાર વાગ્યાથી આ અથડામણ શરૂ થઈ હતી જે હમણાં પણ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર આ હુમલામાં એક આતંકવાદી ઠાર થયો હતો જ્યારે અન્ય એક આતંકવાદી ઘાયલ થયો છે. AK 47 પણ મળી આવી છે. ત્યારે અથડામણમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી આપવા રાજનાથ સિંહ પહોંચ્યા હતા. તે સિવાય જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે પણ શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી હતી.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.