કોલકાત્તામાં ISF અને પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણ, પોલીસે કર્યો લાઠીચાર્જનો ઉપયોગ


  • Published By :
  • Published Date : 2023-01-22 10:16:38

શનિવારે કોલકાત્તામાં ઈન્ડિયન સેક્યુલર ફ્રંટ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પ્રદર્શન કરવા એકત્ર થયેલા આઈએસએફના કાર્યકર્તાઓને હટાવવા પોલીસે લાઠીચાર્જ તેમજ ટીયર ગેસ પણ છોડવો પડ્યો હતો. આ ધર્ષણનો વીડિયો સામે આવ્યો છે. ઘર્ષણમાં પોલીસ કર્મીઓ અને પ્રદર્શન કરી રહેલા કાર્યકર્તાઓ ઘાયલ થયા છે. આ ઘટનાને લઈ અંદાજીત 19 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

हजारों कार्यकर्ता TMC नेता अरबुल इस्लाम की गिरफ्तारी के लिए प्रदर्शन कर रहे थे।


ISFના કાર્યકર્તાએ કર્યું પ્રદર્શન 

કોલકાત્તામાં પોલીસે લાઠીચાર્જ કરવો પડે તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર શનિવારે સાંજના સમયે એસ્પ્લેનેડ વિસ્તારમાં ISFના કાર્યકર્તાઓ પ્રદર્શન કરી રહ્યા હતા. તેઓ લોકોનું કહેવું હતું કે એક રેલી દરમિયાન TMCના કાર્યકર્તાઓએ  ISFના કાર્યકર્તાઓ પર હુમલો કર્યો હતો. જેને લઈને કાર્યકર્તાઓ ઘાયલ થઈ ગયા હતા.TMCના નેતા અરબુલ ઈસ્લામની ધરપકડ કરવામાં આવે તેવી માગ તેઓ કરી રહ્યા છે. 

आरोप है कि ISF कार्यकर्ताओं ने पुलिस पर पथराव भी किया।


પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસનો કર્યો ઉપયોગ  

હજારોની સંખ્યમાં કાર્યકર્તાઓ પ્રદર્શનમાં સામેલ હતા. જેને કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. રસ્તો ખાલી કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ પ્રદર્શન કરી રહેલા કાર્યકર્તાઓએ ના પાડી. રસ્તો ખાલી કરાવા પોલીસે લાઠીચાર્જનો ઉપરાંત ટીયર ગેસનો પણ ઉપયોગ કર્યો હતો. પોલીસે ISFના નેતા અને વિધાયક નૌશાદ સિદ્દીકીને પણ હિરાસતમાં લઈ લીધા છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.