Ciplaમાં 33 ટકા હિસ્સો ખરીદવાની તૈયારીમાં બ્લેકસ્ટોન, કંપનીના શેરોમાં તેજી, જયરામ રમેશે દુઃખ વ્યક્ત કર્યું


  • Published By :
  • Published Date : 2023-08-04 17:00:03

દેશની અગ્રણી ફાર્મા કંપની સિપ્લા વેચાવા જઈ રહી છે. વિશ્વનું સૌથી મોટું પ્રાઈવેટ ઈક્વિટી ફંડ બ્લેક સ્ટોન સિપ્લામાં 33 ટકાથી વધુનો હિસ્સો ખરીવાનું છે. મીડિયા રિપોર્ટ મુજબ જો બ્લેક સ્ટોન સિપ્લામાં 33 ટકાથી વધુ પ્રમોટર હોલ્ડિંગ હસ્તગત કરવામાં સફળ થશે તો હમિદ પરિવારનું કંપનીના મેનેજમેન્ટ પરનું વર્ચસ્વ ખતમ થઈ જશે. જો બ્લેકસ્ટોન કંપનીમાં પ્રમોટરનો હિસ્સો હસ્તગત કરે છે, તો તે ઓફર ફોર સેલ (OFS) હેઠળ કંપનીમાં વધારાના 26 ટકા હિસ્સાનો દાવો પણ કરી શકશે. આ સ્થિતિમાં બ્લેકસ્ટોન ટેકનિકલી રીતે સિપ્લામાં 59.4% હિસ્સો હસ્તગત કરશે. સિપ્લાનું વર્તમાન બજાર મૂલ્ય રૂ. 94,043 કરોડ છે. આ કિંમતની દ્રષ્ટિએ એકલા પ્રમોટરનો હિસ્સો રૂ. 31,476 કરોડનો છે. જો OFS સંપૂર્ણપણે સબ્સ્ક્રાઇબ થઈ જાય, તો બ્લેકસ્ટોને લગભગ રૂ. 55,926 કરોડ ચૂકવવા પડશે.


જયરામ રમેશે જણાવ્યું હતું


સિપ્લા અંગેના સમાચાર બાદ કોંગ્રેસના અગ્રણી નેતા જયરામ રમેશે ટ્વિટર પર લખ્યું હતું કે, "દુનિયાનું સૌથી મોટું પ્રાઇવેટ ઇક્વિટી ફંડ, બ્લેકસ્ટોન, ભારતની સૌથી જૂની ફાર્મા કંપની સિપ્લામાં સમગ્ર 33.47 ટકા પ્રમોટર હિસ્સો હસ્તગત કરવા માટે વાતચીત કરી રહ્યું છે તે જાણીને દુઃખ થયું." તેમણે કહ્યું કે સિપ્લાની સ્થાપના 1935માં ખ્વાજા અબ્દુલ હમીદ દ્વારા કરવામાં આવી હતી, જેઓ મહાત્મા ગાંધી, નેહરુ, સરદાર પટેલ અને મૌલાના આઝાદથી ખૂબ પ્રભાવિત હતા. કોંગ્રેસ નેતાએ કહ્યું, "તેમણે CSIRની રચનામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી." રમેશે વધુમાં સિપ્લાને 'ભારતીય રાષ્ટ્રવાદનું એક ચમકતું ઉદાહરણ' અને ભારતના રાજકીય, આર્થિક અને સામાજિક ઇતિહાસના અભિન્ન અંગ તરીકે વર્ણવ્યું હતું.


સમાચાર બાદ શેરમાં ઉછાળો આવ્યો


સિપ્લા વિશેના આ સમાચારની કંપનીના શેર પર સકારાત્મક અસર થઈ રહી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી, કંપનીના શેર લગભગ 4%ના ઉછાળા સાથે રૂ. 1,206.95 પર ટ્રેડ કરી રહ્યો હતો. બજાર ખુલ્યાના થોડા સમય બાદ, સિપ્લાના શેરે છથી વધુનો ઉછાળો કરીને 52 સપ્તાહનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે, પાછળથી વૃદ્ધિના આ માર્જિનમાં થોડો ઘટાડો થયો. આ શેરે છેલ્લા 5 ટ્રેડિંગ દિવસોમાં 2.90% નું વળતર આપ્યું છે. જ્યારે 1 મહિનામાં આ આંકડો 19.41% રહ્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.