મોદી સરકાર સંસદમાં લાવશે સિનેમેટોગ્રાફ એક્ટ, કેન્દ્રીય કેબિનેટે આપી મંજૂરી


  • Published By :
  • Published Date : 2023-04-19 18:46:32

કેન્દ્રીય કેબિનેટે બુધવારે ફિલ્મોની પાયરેસી રોકવા માટે સિનેમેટોગ્રાફ એક્ટ 2023 લાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે  આ અંગે આગામી સંસદ સત્રમાં સિનેમેટોગ્રાફી બિલ 2023 લાવવામાં આવશે. પાયરસી પર કંઈક કરવું જોઈએ તેવી માંગ ઘણા સમયથી ચાલી રહી હતી. આ જ કારણે ફિલ્મ જગત, કલાકારો અને ચાહકો સાથે જોડાયેલો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે કેબિનેટે મંજૂરી આપી છે કે સિનેમેટોગ્રાફ એક્ટ 2023 સંસદના આવતા સત્રમાં લાવવામાં આવશે.


ક્વોન્ટમ મિશન માટે મંજૂરી 


તે જ પ્રમાણે મોદી સરકારે નેશનલ ક્વોન્ટમ મિશન માટે પણ મંજૂરી આપી દીધી છે. આ માટે 6,003 કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. તેની અંતિમ તારીખ 2023-24 થી 2030-31 છે. આ માટે ચાર હબ બનાવવામાં આવશે. તેઓનું સંચાલન વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મિશન ડાયરેક્ટર દ્વારા કરવામાં આવશે. મિશનને માર્ગદર્શન આપવા માટે એક સંચાલક મંડળ હશે. 


ક્વોન્ટમ ટેકનોલોજી શું છે?


ક્વોન્ટમ ટેકનોલોજી એ ભૌતિકશાસ્ત્રની એક શાખા છે. આજના કોમ્પ્યુટરમાં વપરાતી ટેક્નોલોજી કરતાં તેને વધુ સારી ગણવામાં આવે છે. તેનો ઉપયોગ સફળ રહ્યો છે. આ ટેક્નોલોજીએ કમ્પ્યુટિંગમાં ઘણી મદદ કરી છે. આ દ્વારા, ડેટાને પ્રોસેસ કરવા અને તેને તમારી જરૂરિયાત મુજબ તૈયાર કરવાનું સરળ રહે છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.