મહેસાણાના માણેકપુરા ગામનો ચૌધરી પરિવાર વિખેરાયો, કેનેડામાંથી અમેરિકામાં ઘૂસણખોરી કરતાં બોટ પલટી, 4 સભ્યોના મોત


  • Published By :
  • Published Date : 2023-04-02 13:45:22

અમેરિકા જવાની લાયમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે, ગુજરાતીઓમાં અમેરિકા જવાનો ક્રેઝ જીવલેણ બની રહ્યો છે. ડિંગુચા ગામનો પટેલ પરિવાર વિખેરાયો તે ઘટનાની યાદ હજુ તાજી જ છે ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માણેકપુરા ગામનો ચૌધરી પરિવારના 4 લોકોનાં મોતથી ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ પરિવાર જે બોટમાં બેસીને જઈ રહ્યો રહ્યો હતો તે બોટ ઘણી નાની હતી અને ભારે વરસાદ અને તેજ પવનને કારણે બોટ નદીમાં પલટી ગઈ હોય તેવી આશંકા છે.


અમેરિકામાં ઘૂસણખોરી કરતા મોત મળ્યું


પ્રવીણભાઈ વેલજીભાઈ ચૌધરી તેમના પરિવાર સાથે કેનેડા ફરવા ગયા હતા. જ્યાં ગેરકાયદેસર બોટમાં બેસી અન્ય એક પરિવાર સાથે અમેરિકામાં ઘૂસણખોરી કરતા સમયે તેમની બોટ પલટી મારી જતા 8 લોકોનાં મોત નીપજ્યા હતાં. મહેસાણા જિલ્લાના ચૌધરી પરિવારના કુલ 4 લોકો પાણીમાં ડૂબી જવાના આ સમાચાર વાયુવેગે ફેલાતા આખુ ગામ શોકમગ્ન બન્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે ખેતીનો વ્યવસાય કરતા 50 વર્ષીય ચૌધરી પ્રવીણભાઈ વેલજીભાઈ તેમની પત્ની દક્ષાબેન ઉંમર 45, તેમજ પુત્રી વિધિબેન ઉંમર 23, અને પુત્ર મિત, (ઉંમર 20) સાથે બે મહિના અગાઉ કેનેડા ગયા હતા.  


જીવના જોખમે પણ USAમાં ઘુસણખોરી


અમેરિકામાં ગેરકાયદે ઘુશણખોરી સતત વધી રહી છે, વિવિધ દેશોના નાગરિકો મેકિ્સકો અને કેનેડાનાથી જીવના જોખમે ઘુશપેઠ કરે છે. તેમાં પણ કેનેડાની ક્યુબેક-ઓન્ટારિયો બોર્ડર માનવ તસ્કરોમાં હોટ ફેવરીટ છે. આ સરહદ નજીક એક્વાસાસ્ને પ્રદેશમાં સેન્ટ લોરેન્સ નદીમાં બોટ મારફતે ઘુશણખોરી કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી અહીંથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાની ઘટનાઓમાં વધારો થયો છે. અગાઉનાં વર્ષોની તુલનામાં 2022માં કેનેડાથી અમેરિકામાં જવાનો પ્રયાસ કરતા લોકોની સંખ્યામાં આઠ ગણાથી વધુનો વધારો જોવા મળ્યો છે. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી .

ડોનાલ્ડ ટ્રમ્પએ રેસિપ્રોકલ ટેરીફના અમલીકરણ માટે ૯૦ દિવસનો પ્રતિબંધ મુક્યો છે. તો આ તરફ ઈરાને "પરમાણુ" હથિયારોનો ત્યાગ કરવાની તૈયારી બતાવી છે. અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેંગસેથ પનામા કેનાલની મુલાકાતે ગયા હતા અને તેમણે પનામા કેનાલને ફરી વખત પાછું લેવાની વાત કરી છે. બાંગલાદેશના પીએમ મોહમ્મદ યુનુસ જયારે થોડાક દિવસ પેહલા ચાઇનાની મુલાકાતે ગયા ત્યાં તેમણે ઉત્તર-પૂર્વીય ભારત માટે ખુબ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું . હવે ભારતે બાંગ્લાદેશની ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

ભારત તેની પ્રહારક્ષમતા વધારવા માટે પ્રોજેક્ટ વર્ષાનું અમલીકરણ કરી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ "ટેરિફ વિસ્ફોટ" પછી "વિઝા ટેરર" ની નીતિ અપનાવી છે. યુએઈના રક્ષા મંત્રી ભારત આવ્યા છે તેમણે ભારત સાથે ખુબ મહત્વના ક્ષેત્રોમાં સહકાર સાધવાનો પ્રયાસ કર્યો છે. તો હવે ઈરાન અને અમેરિકા પરમાણુ ક્ષેત્રે વાર્તાલાપ કરવા તૈયાર છે.

આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.