છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણની પોલ ખોલતા રિપોર્ટથી હાહાકાર, IAS ડૉ. ધવલ પટેલે સડેલા શિક્ષણનો પર્દાફાશ કર્યો


  • Published By :
  • Published Date : 2023-06-26 16:24:00

ગુજરાતમાં શિક્ષણનું સ્તર ચિંતાજનક હદે કથળ્યું છે, અત્યાર સુધી રાજ્યની ભાજપ સરકાર આ સત્ય સ્વિકારતી નહોંતી પરંતું હવે એક IAS અધિકારીએ ડૉ. ધવલ પટેલે તેમના એક રિપોર્ટ દ્વારા રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર હકીકત રજુ કરી છે. છોટાઉદેપુર જિલ્લામાં કથળેલા શિક્ષણ પર IAS ડૉ. ધવલ પટેલના રિપોર્ટ અંગે  જમાવટે સૌપ્રથમ વખત વીડિયોના માધ્યમથી સમગ્ર ચિતાર રજુ કર્યો ત્યાર બાદ તંત્ર સફાળું જાગ્યું છે, જમાવટના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે. વિરોધ પક્ષો રાજ્ય સરકારને આ મામલે આકરા સવાલો કરી રહ્યા છે. રાજ્ય સરકાર પણ હાલ બચાવની સ્થિતીમાં આવી ગઈ છે.  


રિપોર્ટથી હોબાળો મચ્યો


રાજ્ય સરકારે  ડૉ. ધવલ પટેલને છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણની સ્થિતી પર એક રિપોર્ટ તૈયાર કરવા માટે જણાવ્યું હતું. IAS અધિકારી ડૉ. ધવલ પટેલે શાળા પ્રવેશોત્સવ દરમિયાન છોટાઉદેપુર જિલ્લાની 6 જેટલી શાળાઓની લીધેલી જાત મુલાકાતના આધારે પ્રાથમિક શિક્ષણ વિભાગના સચિવને લખેલા પત્રથી રાજ્ય સરકારમાં હાહાકાર મચી ગયો છે.  ધવલ પટેલે જાણે કે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. તેમણે પત્રમાં જે ઉલ્લેખ કર્યા છે તે અત્યંત ચિંતાજનક બાબત છે. રાજ્યની ભાજપ સરકારની મોટી મોટી વાતોના આ એક માત્ર રિપોર્ટે વટાણા વેરી નાખ્યા છે. 




બાળકોને સડેલું શિક્ષણ મળી રહ્યું છે


IAS અધિકારી ડૉ. ધવલ પટેલે તેમના રિપોર્ટમાં છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણની કથળેલી હાલત અંગે જે વાસ્તવિક ચિત્ર રજુ કર્યું છે તે કોઈ પણ વ્યક્તિને હચમચાવી દે તેવું છે. તેમણે રિપોર્ટમાં ત્યાં સુધી લખ્યું હતું કે છોટાઉદેપુરના વિસ્તારના આદિવાસી બાળકોને સડેલું શિક્ષણ આપવામાં આવે છે. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને સડેલું શિક્ષણ ગણાવનાર IAS અધિકારી ધવલ પટેલના લેટર અંગે પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો પડ્યો છે. છોટા ઉદેપુર જિલ્લામાં શિક્ષણના સત્યાનાશ પર IAS ડૉ. ધવલ પટેલના વાયરલ પત્રથી ખળભળાટ મચી ગયો હતો. શાળાના અનુભવો અંગે શિક્ષણ સચિવને તેમણે પત્ર લખ્યો હતો. વાયરલ પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે વિદ્યાર્થીઓમાં પાયાનું જ્ઞાન પણ નથી. અલગ અલગ છ શાળાનો ચકાસણી કર્યાનો પત્રમાં ઉલ્લેખ કરાયો હતો. 


મંત્રી ઋષિકેશ પટેલના ડેમેજ કન્ટ્રોલના પ્રયાસો 


ડૉ. ધવલ પટેલના રિપોર્ટ બાદ મચેલા ખળભળાટ બાદ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ડેમેજ કન્ટ્રોલના પ્રયાસો કર્યા હતા. તેમણે આ રિપોર્ટ અંગે જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ પૂર્ણ થયો એટલે તમામ સ્થળેથી રિપોર્ટ આવ્યા છે. મુખ્યમંત્રીએ સારી વાત સાંભળવાના બદલે સાચી વાત સાંભળવાનો આગ્રહ રાખ્યો હતો.  મુખ્યમંત્રીના આગ્રહ મુજબ ધવલભાઈએ તેના અનુભવના આધારે રિપોર્ટ આપ્યો છે.  કોવિડકાળ દરમિયાન શિક્ષણ બગડ્યું છે. શબ્દ કદાચ સડેલો હોય શકે છે. સમગ્ર ગુજરાતનું શિક્ષણ આવું ના હોઇ શકે. ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું હતું કે વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ આપવાનો સરકારનો પ્રયાસ છે. જ્યાં પણ ક્ષતિ હશે ત્યાં સુધારો કરાશે. શાળાઓ રહેલી ક્ષતિઓ દૂર કરવાની સૂચના આપવામાં આવી છે. ધવલભાઇએ લીધેલી મુલાકાતમાં તેમના અનુભવની વાત કરી છે.


શિક્ષણ મંત્રી પણ હકીકતથી અજાણ


ડૉ. ધવલ પટેલના વાયરલ રિપોર્ટ મામલે હાહાકાર મચતા શિક્ષણ મંત્રી કુબેર ભાઈ ડિંડોરે નિવેદન આપ્યું હતું. ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપવા આવેલા મંત્રી કુબેર ભાઈ ડિંડોરે કહ્યું કે મને પણ મીડિયાનાં માધ્યમથી જ આ રિપોર્ટ અંગે જાણ થઈ છે. હું પણ એ જ વિસ્તારમાંથી આવું છું. શિક્ષણ સુધારા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. શિક્ષણ માટે સારું શું કરી શકાય તે માટેના અમારા પ્રયત્નો રહેશે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!