Gandhinagar કોલેરાને ઝપેટમાં! જિલ્લા કલેક્ટરે આ ચાર વિસ્તારોને કોલેરાગ્રસ્ત વિસ્તાર કર્યા જાહેર, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-06-01 17:06:44

હિટવેવને કારણે અનેક લોકો બિમાર પડ્યા છે... અસહ્ય ગરમીને કારણે લોકો હિટસ્ટ્રોકનો શિકાર બની રહ્યા છે.. એક તરફ હિટસ્ટ્રોકના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે તો બીજી તરફ કોલેરાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.  ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કોલેરા એ હદે ફાટી નિકળ્યો છે કે ગાંધીનગર જિલ્લા કલેક્ટરને ચાર વિસ્તારોને, ચાર સ્થળોને કોલેરાગ્રસ્ત જાહેર કરવો પડ્યો છે.. કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે..


ક્યા વિસ્તારને કરાયો કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર?  

જે વિસ્તારને કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે તે છે ગાંધીનગર જીલ્લાના દહેગામ, કલોલ, ચિલોડા,શિહોરી અને પેથાપુર વિસ્તાર... દેહગામનો અર્બન વિસ્તાર એસટી ડેપોથી બે કિલોમીટરનો વિસ્તારનો સમાવેશ થાય છે. તે સિવાય ચિલોડા સિહોલી જીઈબી રોડ વિસ્તારથી છાપરા સુધીના બે કિલોમીટરનો વિસ્તાર  પણ કોલેરાગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કર્યો છે. 


તે સિવાય કલોલના રામદેવપુરા વાસ, ગાયનો ટેકરાથી બે કિલોમીટરનો વિસ્તાર કોલેરાના ઝપેટમાં આવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા અંતર્ગત આવતા પેથાપુરમાં નવા વણકર વાસ આંબેડકર હોલ વિસ્તારથી બે કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે.


શું છે કોલેરાના લક્ષણો? 

કોલેરાના લક્ષણોની વાત કરીએ તો ઝાડા  ઉલ્ટી થવા, શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટતું જવું,થાક લાગવો... કોલેરા અનેક વખત દૂષિત પાણીને કારણે પણ થાય છે.. ઝાડા, ઉલ્ટી થવાને કારણે શરીરમાં પાણીની અછત થાય છે.  જો યોગ્ય સારવાર કોલેરાની ના કરવામાં આવે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.. મહત્વનું છે કે કોલેરાના કેસો  ધીરે ધીરે માથું ઉચકી રહ્યા છે.. અનેક વખત દૂષિત પાણી પીવાને કારણે કોલેરા થવાનું સંકટ વધતું હોય છે. તમે તમારૂં અને તમારા પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો..     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.