રાષ્ટ્રપતિ શી જિનપિંગ ફરી બન્યા ચીનના કેપ્ટન, ત્રીજી વખત દેશની કમાન સંભાળશે


  • Published By :
  • Published Date : 2022-10-23 12:59:44

ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ ત્રીજી વખત કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (CCP)ના જનરલ સેક્રેટરી ચૂંટાઈ ગયા છે. ચીનના સૌથી મોટા નેતા  અને CCPના સંસ્થાપક માઓ ત્સે તુંગ બાદ જિનપિંગ ત્રીજી વખત નિમણૂંક પામનારી ચીનની બીજી સૌથી મોટી હસ્તી બની ગઈ છે. હવે તે વધુ પાંચ વર્ષ માટે આ પદ પર રહેશે. અત્રે ઉલ્લેખનિય છે  કે ચીનમાં સત્તાની ચાવી કમ્યુનિસ્ટ પાર્ટીના હાથમાં છે. આ પાર્ટી ચીની સેનાનું પણ નેતૃત્વ કરે છે.


જિનપિંગે પાર્ટીનો આભાર માન્યો


AFPએ ચીની મીડિયાને ટાંકીને કહ્યું કે શી જિનપિંગ સફળતાપૂર્વક ત્રીજી વખત સૌથી શક્તિશાળી નેતા બની ગયા છે. તેમણે રવિવારે ગ્રેટ હોલ ઓફ ધ પીપલમાં પાર્ટીની સપ્તાહ-લાંબી 20મી નેશનલ કોંગ્રેસમાં કમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરીનું પદ સંભાળ્યું. આ પ્રસંગે શી જિનપિંગે કહ્યું કે, તમે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેના માટે હું આખી પાર્ટીનો હૃદયપૂર્વક આભાર માનું છું.


જિનપિંગ માટે ચાર દાયકા જુનો નિયમ બદલાયો


આ પહેલા જિનપિંગને CCPના કેન્દ્રિય સમિતિના નેતા ચૂંટી કાઢવામાં આવ્યા હતા. આ સમિતિનો કાર્યકાળ બે વર્ષથી વધુ વધારી શકાતો નથી. તેમાં રિટાયરમેન્ટની ઉંમર 68 વર્ષ નક્કી હોય છે. પરંતું જિનપિંગ 68 વર્ષની ઉંમર હોવા છતાં પણ આ પદ પર ટકેલા છે અને તેમના માટે ચાર દાયકા જુનો નિયમ બદલી નાખવામાં આવ્યો હતો.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.