હવે ચીનમાં અપરણિત યુવતીઓ પણ માતા બની શકશે, સરકારે શા માટે આપી મંજુરી? જાણો


  • Published By :
  • Published Date : 2023-01-31 14:45:37

ચીને યુવતીઓને લગ્ન કર્યા વિના માતા બનવાની કાયદેસર મંજૂરી આપી દીધી છે. આ કાયદો માત્ર દક્ષિણ પશ્ચિમ સિચુઆન પ્રાંતમાં જ પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવામાં આવ્યો છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાયદો ઘટી રહેલા જન્મ દરને રોકવા માટેના નવીનતમ પ્રયાસ તરીકે ઘડવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અપરિણીત પુરુષો અને સ્ત્રીઓને પરિવાર વધારવા અને વિવાહિત યુગલ માટે સરકારી સહાય વધુ તીવ્ર બનાવવામાં આવશે. ચીનમાં અત્યાર સુધી માત્ર પરિણીત મહિલાઓને જ કાયદેસર રીતે બાળકને જન્મ આપવાની મંજૂરી છે. પરંતુ, તાજેતરના વર્ષોમાં, લગ્ન અને જન્મદરમાં વિક્રમી ઘટાડો થવાને કારણે ચીનની સરકાર ચિંચિત બની છે. એક સમય એવો હતો જ્યારે ચીને પણ વધતી વસ્તીને રોકવા માટે વન ચાઈલ્ડ પોલિસી લાગુ કરી હતી.


રજીસ્ટ્રેશન 15 ફેબ્રુઆરીથી શરૂ થશે


15 ફેબ્રુઆરીથી, વિવાહિત યુગલો અને બાળકો ઇચ્છતા કોઈ પણ વ્યક્તિને ચીનના પાંચમા સૌથી વધુ વસ્તીવાળા પ્રાંતમાં સરકાર પાસે નોંધણી કરાવવાની મંજૂરી આપવામાં આવશે. આમાં બાળકોની સંખ્યા પર કોઈ મર્યાદા રહેશે નહીં. આવી સ્થિતિમાં, વ્યક્તિ ઇચ્છે તેટલા બાળકો માટે નોંધણી કરાવી શકે છે. સિચુઆનના આરોગ્ય આયોગે તેની વેબસાઇટ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેનો હેતુ લાંબા ગાળા માટે અને સંતુલિત વસ્તી વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે. અત્યાર સુધી, કમિશન માત્ર એવા પરિણીત યુગલોને જ મંજૂરી આપતું હતું જેઓ બે બાળકો સુધી સ્થાનિક સત્તાવાળાઓ સાથે નોંધણી કરાવવા ઇચ્છતા હતા.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.