ચીનને કોરોના સુનામીથી નહીં મળે મુક્તિ, સતત આવતા રહેશે નવા વેરિયેન્ટ


  • Published By :
  • Published Date : 2023-01-02 20:42:54

ચીનમાં કોરોના વિષ્ફોટથી લાખો લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન સોમવારે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ચીનમાં ઓમિક્રોનના સબ વેરિયેન્ટ સતત આવતા જ રહેશે તેથી ચીનને હાલ તુરંત તો સંક્રમણથી મુક્તી મળવાની કોઈ જ શક્યતા નથી.


પેકિંગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે આપી ચેતવણી


પેકિંગ યુનિવર્સિટીના બાયોકેમિસ્ટ કા ઓ યૂનલોંન્ગે ચેતવણી આપતા કહ્યું કે ચીનમાં હાલની સ્થીતીમાં કોરોના લહેર તેની ચરમસીમામાં પહોંચ્યા બાદ એક્સબીબી મોટા પ્રમાણમાં સંક્રમણના એક નવા તબક્કામાં દેશ પ્રવેશી શકે છે. વર્તમાનમાં દેશમાં એવી પરિસ્થીતી પેદા થઈ છે કે તેને રોકવી મુશ્કેલ છે. સંસોધકોએ ભારપૂર્વક કહ્યું છે કે ચીન કોવિડ સંક્રમણની અનેક લહેરોનો સામનો કરતું રહેશે કેમ કે ઓમિક્રોન વેરિયેન્ટમાં સતત પરિવર્તન થતું રહે છે. અત્રે ઉલ્લેખનિય છે કે બ્રિટન સ્થિત ફર્મ એયરફિનિટીએ એપ્રિલ 2023ના અંત સુધીમાં સમગ્ર ચીનમાં 17 લાખ લોકોના મોતની ભવિષ્યવાણી કરી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે