ચીનમાં કોરોનાથી મચી જશે હાહાકાર, દરરોજ 9 હજાર લોકોના મોતની આગાહી


  • Published By :
  • Published Date : 2023-01-01 12:27:07

ચીનમાં વધી રહેલા કોરોનાના કેસને લઈ સમગ્ર વિશ્વનમાં ચિંતાનો માહોલ છે. બ્રિટનના એક હેલ્થ ફર્મે તો ચીનને લઈ એક ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. આ ફર્મના લેટેસ્ટે રિપોર્ટ મુજબ ચીનમાં દરરોજ 9 હજાર લોકોના મૃત્યુનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ચીનમાં ઝીરો કોવિડ પોલીસી રદ્દ કરવા અને કોવિડ નિયંત્રણો હટાવવામાં આવ્યા બાદ કોરોના સંક્રમિતોની સંખ્યામાં જોરદોર ઉછાળો જોવા મળ્યો છે. 


રિપોર્ટ શું કહે છે?


બ્રિટિશ ફર્મના રિપોર્ટમાં ચીનમાં મૃત્યુંઆકને લઈ જે અનુમાન કરવામાં આવ્યું છે તે ચીનની સરકારથી વિપરીત છે. કેમ કે બ્રિટીશ ફર્મ ડિસેમ્બર સુધી 1.86 કરોડ કોવિડ કેસ તથા કુલ 37 લાખ લોકોના મોતનું અનુમાન લગાવ્યું છે. જો કે ચીને માત્ર 5,84,000 લોકોના મોતની મહિતી આપી છે. અન્ય દેશોથી અલગ ચીન માત્ર ન્યૂક્લિક એસિડ ટેસ્ટની સાથે કોરોના સંક્રમિતોને શ્વાસ લેવામાં તરલીફથી મરવાને જ કોવિડથી મોતનું એક માત્ર કારણ માની રહ્યું છે. કોરોના પોઝિટિવ થયાના 28 દિવસની અંદર જ મૃત્યુ પામનારાને ચીન કોવિડથી મોત થયાનું માની રહ્યું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ચીન 30 ડિસેમ્બરે માત્ર એક મોતની જ માહિતી આપી હતી.


WHOએ ચીન પાસે સાચો ડેટા માગ્યો


કોવિડ ડેટાને લઈને સતત ટીકાનો સામનો કરી રહેલા ચીનના અધિકારીઓ સાથે ડબલ્યુએચઓના અધિકારીઓએ બેઠક કરી હતી. આ ઓનલાઈન બેઠકમાં ડબલ્યુએચઓએ ચીન પાસે આનુવાંસિક સંક્રમણ, હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓ, મોત અને રસીકરણ અંગે સાચે ડેટા રજુ કરવાનું કહ્યું છે.


કેનેડા અને મોરોક્કોએ કોરોના રિપોર્ટ કર્યો અનિવાર્ય


ચીન હંમેશા દેશમાં થતાં કોવિડ મોત અને તે અંગેની માહિતીને પારદર્શક અને વૈજ્ઞાનિક બતાવતું રહ્યું છે. જો કે ચીનના આ તમામ દાવાઓને વિશ્વના દેશો સાચા માનતા નથી. આ દરમિયાન કેનેડા અને મોરક્કોએ પણ ચીનના મુસાફરો માટે કોરોના નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય બનાવી દીધો છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ જ પ્રકારનો રિપોર્ટ ભારત સહિતના અન્ય દેશોએ પણ ફરજિયાત બનાવી દીધો છે.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.