ચીનમાં કોરોનાથી મચી જશે હાહાકાર, દરરોજ 9 હજાર લોકોના મોતની આગાહી


  • Published By :
  • Published Date : 2023-01-01 12:27:07

ચીનમાં વધી રહેલા કોરોનાના કેસને લઈ સમગ્ર વિશ્વનમાં ચિંતાનો માહોલ છે. બ્રિટનના એક હેલ્થ ફર્મે તો ચીનને લઈ એક ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. આ ફર્મના લેટેસ્ટે રિપોર્ટ મુજબ ચીનમાં દરરોજ 9 હજાર લોકોના મૃત્યુનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ચીનમાં ઝીરો કોવિડ પોલીસી રદ્દ કરવા અને કોવિડ નિયંત્રણો હટાવવામાં આવ્યા બાદ કોરોના સંક્રમિતોની સંખ્યામાં જોરદોર ઉછાળો જોવા મળ્યો છે. 


રિપોર્ટ શું કહે છે?


બ્રિટિશ ફર્મના રિપોર્ટમાં ચીનમાં મૃત્યુંઆકને લઈ જે અનુમાન કરવામાં આવ્યું છે તે ચીનની સરકારથી વિપરીત છે. કેમ કે બ્રિટીશ ફર્મ ડિસેમ્બર સુધી 1.86 કરોડ કોવિડ કેસ તથા કુલ 37 લાખ લોકોના મોતનું અનુમાન લગાવ્યું છે. જો કે ચીને માત્ર 5,84,000 લોકોના મોતની મહિતી આપી છે. અન્ય દેશોથી અલગ ચીન માત્ર ન્યૂક્લિક એસિડ ટેસ્ટની સાથે કોરોના સંક્રમિતોને શ્વાસ લેવામાં તરલીફથી મરવાને જ કોવિડથી મોતનું એક માત્ર કારણ માની રહ્યું છે. કોરોના પોઝિટિવ થયાના 28 દિવસની અંદર જ મૃત્યુ પામનારાને ચીન કોવિડથી મોત થયાનું માની રહ્યું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ચીન 30 ડિસેમ્બરે માત્ર એક મોતની જ માહિતી આપી હતી.


WHOએ ચીન પાસે સાચો ડેટા માગ્યો


કોવિડ ડેટાને લઈને સતત ટીકાનો સામનો કરી રહેલા ચીનના અધિકારીઓ સાથે ડબલ્યુએચઓના અધિકારીઓએ બેઠક કરી હતી. આ ઓનલાઈન બેઠકમાં ડબલ્યુએચઓએ ચીન પાસે આનુવાંસિક સંક્રમણ, હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓ, મોત અને રસીકરણ અંગે સાચે ડેટા રજુ કરવાનું કહ્યું છે.


કેનેડા અને મોરોક્કોએ કોરોના રિપોર્ટ કર્યો અનિવાર્ય


ચીન હંમેશા દેશમાં થતાં કોવિડ મોત અને તે અંગેની માહિતીને પારદર્શક અને વૈજ્ઞાનિક બતાવતું રહ્યું છે. જો કે ચીનના આ તમામ દાવાઓને વિશ્વના દેશો સાચા માનતા નથી. આ દરમિયાન કેનેડા અને મોરક્કોએ પણ ચીનના મુસાફરો માટે કોરોના નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય બનાવી દીધો છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ જ પ્રકારનો રિપોર્ટ ભારત સહિતના અન્ય દેશોએ પણ ફરજિયાત બનાવી દીધો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે