મહીસાગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, લુણાવાડા તાલુકાના માખલિયા ગામમાં બે બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત


  • Published By :
  • Published Date : 2023-07-10 18:19:43

રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર થઈ રહી છે, ધોધમાર વરસાદના કારણે નદી, સરોવરો અને તળાવો છલોછલ ભરાયા છે. જો કે ક્યારેક આ મેઘ મહેર આફતરૂપ પણ બને છે. જેમ કે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના માખલિયા ગામે  બે બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે. તળાવ ભરાતા તેનું પાણી જોવા ગયેલા બે બાળકો પાણીમાં ડૂબતા હાહાકાર મચી ગયો છે.


પરિવાર શોકમગ્ન બન્યો


મહીસાગરમાં સતત વરસાદને પગલે માખલિયા ગામનું તળાવ ઓવરફ્લો થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તળવા ઓવરફ્લો થતાં ગ્રામજનોના ટોળે ટોળા ઉમટ્યા હતા. ગામ લોકો પાણી જોવા માટે તળાવના કિનારે પહોંચ્યા હતા. જો કે આ લોકોની સાથે  પાણી જોવા ગયેલા બે બાળકો પાણીમાં ડૂબતા અરેરાટી વ્યાપી ગઈ હતી. માંખલિયા ગામના ધોરણ 6 અને ધોરણ 9 માં ભણતા બાળકો પાણી જોવા જતા ડૂબતા તેમના પરિવારજનો પર જાણે આસમાન તુટી પડ્યું હોય તેવા હ્રદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. 


મહીસાગર જિલ્લામાં ધમકેદાર એન્ટ્રી


રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ મહીસાગર જિલ્લામાં પણ વહેલી સવારથી જ મેઘરાજાની ધમકેદાર એન્ટ્રી જોવા મળી હતી. જિલ્લાના વીરપુર, લુણાવાડા સહિત ખાનપુર તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે. લુણાવાડાનાં કોઠંબા વિસ્તારમાં વરસાદના કારણે રોડ પર પાણી ફરી વળ્યા હતા. કોઠંબાના માખલિયગામે થી ભાથીજી મંદિર તરફના રોડ પર પાણી ફરી વળ્યા હતા. સ્થાનિક ગ્રામ જનો ઘૂંટણ સમા પાણીમાં જોખમી મુસાફરી કરતા દશ્યો સામે આવ્યા હતા. મહીસાગર જિલ્લમાંમા છેલ્લાં પાંચ કલાકથી અનારાધાર વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા પાંચ કલાકથી પડી રહેલા વરસાદને કારણે ખેતરો બેટમા ફેરવાયા છે. જીલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં પાંચ કલાકમાં 4ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!