મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે કચ્છ મુલાકાતે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 19:28:37

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે કચ્છ મુલાકાતે જઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ મુલાકાત ચૂંટણીલક્ષી છે જ્યારે તેઓ બપોરે 2 કલાકે કંડલા એરપોર્ટ પહોંચશે. કચ્છ અને સૌરાષ્ટ્રની વિધાનસભામાં 54 બેઠકો છે. આ તમામ બેઠકો ભાજપ માટે અતિ મહત્વની છે ત્યારે મુખ્યમંત્રી કચ્છ પ્રવાસે જાય તે સ્વાભાવિક છે. કચ્છમાં વિધાનસભાની સાત બેઠકો છે જેમાં છ બેઠકો પર ભાજપનો દબદબો છે અને એક બેઠક કોંગ્રેસના ખાતે છે. 


ક્યાં હશે મુખ્યમંત્રીનો કાર્યક્રમ?

મુખ્યમંત્રી કંડલા એરપોર્ટ પરથી ગાંધીધામ ખાતે એનેક્સી ભવનનું ઉદ્ઘાટન કરશે. ગાંધીધામ ખાતે એનેક્સી ભવન ઉદ્ઘાટન બાદ તેઓ તેઓ અંજાર ખાતે વેલસ્પન કંપનીના પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપશે. આ કાર્યક્રમ બાદ તેઓ ભદ્રેશ્વર અને હાટડી ગામ ખાતે પોર્ટ બિઝ ઈન્ડસ્ટ્રીયલ પાર્કના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રી અનુકૂળતાએ માતાના મઢ ખાતે દર્શનાર્થે જશે. ત્યારબાદ સાંજે 6 કલાકે ભુજ એરપોર્ટથી ગાંધીનગર જવા રવાના થશે.



  



૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .