અધિકારીઓ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બગડ્યા? જાહેર મંચ પરથી કહી આ વાત જેને સાંભળી તમે પણ કહેશો કે.. સાંભળો શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-14 17:37:13

ગુજરાતના મૃદુ અને મક્કમ cmનું સ્વરૂપ બદલાતું દેખાય છે  રાજકોટ ગેમઝોન દુર્ઘટનામાં અધિકારીઓની મીલીભગત બહાર આવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મિજાજ હવે સાતમા આસમાને પહોંચ્યો છે. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી હવે કાર્યવાહીને લઈ કડક બની રહ્યા છે.  દાદા ફરી અધિકારીઓ પર ભડક્યા છે. આણંદના સારસામાં યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે અમે હવે કલેક્ટર ઓફિસે જઇશું…બધી જ કિટલીઓ હવે શાંત થઇ જવાની છે. અને ચા કરતાં વધારે કીટલી ગરમ નહીં જ ચાલે....   

રાજકોટ દુર્ઘટનાને લઈ મુખ્યમંત્રીએ આપી હતી પ્રતિક્રિયા

મુખ્યમંત્રી કઇ કિટલીઓ વિશે વાત કરી રહ્યા હતા તેની જનતાને ખબર છે. ગુજરાતીમાં કહેવત છે કે ચા કરતાં કિટલી ગરમ…અધિકારીઓની શરણમાં કેટલાક તત્વો કિટલી બનીને ફરતાં હોય છે તે વાત પણ જગજાહેર છે. હવે સરકાર આવી કિટલીઓને પણ શોધી શોધી ઠેકાણે પાડશે તેનો અંદાજ મુખ્યમંત્રીની આ વાત પરથી આવી શકે છે. મહત્વનું છે કે રાજકોટ અગ્નિકાંડને લઈ પણ મુખ્યમંત્રી દ્વારા આકરૂં વલણ અપનાવવામાં આવ્યું છે. ગઈકાલે જ મુખ્યમંત્રી રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ વિશે બોલ્યા હતા તેમણે કહ્યું હતું કે માણસનો જીવ મહત્વનો છે ત્યારે “જીવ બચાવવા કોઇ જ પ્રકારનું કોઇપણ પક્ષે સમાધાન ન થવું જોઇએ”અને સાથે જ કહ્યું કે વિચારવું જોઈએ કે ક્યાં ભૂલ થાય છે. 


એવી કાર્યવાહી થવી જોઈએ જેને લઈ દાખલો બેસે કે... 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જે નિવેદન આપ્યું કે અમે હવે કલેક્ટર ઓફિસે જઇશું અને આજથી જ એની શરૂઆત પણ કરી દીધી આજે તે  અચાનક ખેડા પ્રાંત ઓફિસની મુલાકાતે પહોંચ્યા... મહત્વનું છે કે મુખ્યમંત્રી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેમાં તે દુ:ખ વ્યક્ત કરતા હોય તેવું લાગ્યું.. માણસ તરીકે તે દુ:ખ વ્યક્ત કરે તે માણસાઈની નિશાની છે પરંતુ જ્યારે સત્તા પર બેઠેલા વ્યક્તિ આવી દુર્ઘટનાને લઈ બોલે ત્યારે સવાલ થાય.. અહીંયા કાર્યવાહી એવી થવી જોઈએ કે દાખલો બેસે કે ખોટું કરવાની કોઈની હિંમત ના ચાલે. એ ગમે તે કેમ ના હોય તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવાની સત્તા તમારી પાસે છે.. હવે સરકાર સતત આ રીતે કામ કરે એ આશા..  



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.