અધિકારીઓ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બગડ્યા? જાહેર મંચ પરથી કહી આ વાત જેને સાંભળી તમે પણ કહેશો કે.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-06-14 17:37:13

ગુજરાતના મૃદુ અને મક્કમ cmનું સ્વરૂપ બદલાતું દેખાય છે  રાજકોટ ગેમઝોન દુર્ઘટનામાં અધિકારીઓની મીલીભગત બહાર આવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મિજાજ હવે સાતમા આસમાને પહોંચ્યો છે. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી હવે કાર્યવાહીને લઈ કડક બની રહ્યા છે.  દાદા ફરી અધિકારીઓ પર ભડક્યા છે. આણંદના સારસામાં યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે અમે હવે કલેક્ટર ઓફિસે જઇશું…બધી જ કિટલીઓ હવે શાંત થઇ જવાની છે. અને ચા કરતાં વધારે કીટલી ગરમ નહીં જ ચાલે....   

રાજકોટ દુર્ઘટનાને લઈ મુખ્યમંત્રીએ આપી હતી પ્રતિક્રિયા

મુખ્યમંત્રી કઇ કિટલીઓ વિશે વાત કરી રહ્યા હતા તેની જનતાને ખબર છે. ગુજરાતીમાં કહેવત છે કે ચા કરતાં કિટલી ગરમ…અધિકારીઓની શરણમાં કેટલાક તત્વો કિટલી બનીને ફરતાં હોય છે તે વાત પણ જગજાહેર છે. હવે સરકાર આવી કિટલીઓને પણ શોધી શોધી ઠેકાણે પાડશે તેનો અંદાજ મુખ્યમંત્રીની આ વાત પરથી આવી શકે છે. મહત્વનું છે કે રાજકોટ અગ્નિકાંડને લઈ પણ મુખ્યમંત્રી દ્વારા આકરૂં વલણ અપનાવવામાં આવ્યું છે. ગઈકાલે જ મુખ્યમંત્રી રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ વિશે બોલ્યા હતા તેમણે કહ્યું હતું કે માણસનો જીવ મહત્વનો છે ત્યારે “જીવ બચાવવા કોઇ જ પ્રકારનું કોઇપણ પક્ષે સમાધાન ન થવું જોઇએ”અને સાથે જ કહ્યું કે વિચારવું જોઈએ કે ક્યાં ભૂલ થાય છે. 


એવી કાર્યવાહી થવી જોઈએ જેને લઈ દાખલો બેસે કે... 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જે નિવેદન આપ્યું કે અમે હવે કલેક્ટર ઓફિસે જઇશું અને આજથી જ એની શરૂઆત પણ કરી દીધી આજે તે  અચાનક ખેડા પ્રાંત ઓફિસની મુલાકાતે પહોંચ્યા... મહત્વનું છે કે મુખ્યમંત્રી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેમાં તે દુ:ખ વ્યક્ત કરતા હોય તેવું લાગ્યું.. માણસ તરીકે તે દુ:ખ વ્યક્ત કરે તે માણસાઈની નિશાની છે પરંતુ જ્યારે સત્તા પર બેઠેલા વ્યક્તિ આવી દુર્ઘટનાને લઈ બોલે ત્યારે સવાલ થાય.. અહીંયા કાર્યવાહી એવી થવી જોઈએ કે દાખલો બેસે કે ખોટું કરવાની કોઈની હિંમત ના ચાલે. એ ગમે તે કેમ ના હોય તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવાની સત્તા તમારી પાસે છે.. હવે સરકાર સતત આ રીતે કામ કરે એ આશા..  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે