અધિકારીઓ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બગડ્યા? જાહેર મંચ પરથી કહી આ વાત જેને સાંભળી તમે પણ કહેશો કે.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-06-14 17:37:13

ગુજરાતના મૃદુ અને મક્કમ cmનું સ્વરૂપ બદલાતું દેખાય છે  રાજકોટ ગેમઝોન દુર્ઘટનામાં અધિકારીઓની મીલીભગત બહાર આવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મિજાજ હવે સાતમા આસમાને પહોંચ્યો છે. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી હવે કાર્યવાહીને લઈ કડક બની રહ્યા છે.  દાદા ફરી અધિકારીઓ પર ભડક્યા છે. આણંદના સારસામાં યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે અમે હવે કલેક્ટર ઓફિસે જઇશું…બધી જ કિટલીઓ હવે શાંત થઇ જવાની છે. અને ચા કરતાં વધારે કીટલી ગરમ નહીં જ ચાલે....   

રાજકોટ દુર્ઘટનાને લઈ મુખ્યમંત્રીએ આપી હતી પ્રતિક્રિયા

મુખ્યમંત્રી કઇ કિટલીઓ વિશે વાત કરી રહ્યા હતા તેની જનતાને ખબર છે. ગુજરાતીમાં કહેવત છે કે ચા કરતાં કિટલી ગરમ…અધિકારીઓની શરણમાં કેટલાક તત્વો કિટલી બનીને ફરતાં હોય છે તે વાત પણ જગજાહેર છે. હવે સરકાર આવી કિટલીઓને પણ શોધી શોધી ઠેકાણે પાડશે તેનો અંદાજ મુખ્યમંત્રીની આ વાત પરથી આવી શકે છે. મહત્વનું છે કે રાજકોટ અગ્નિકાંડને લઈ પણ મુખ્યમંત્રી દ્વારા આકરૂં વલણ અપનાવવામાં આવ્યું છે. ગઈકાલે જ મુખ્યમંત્રી રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ વિશે બોલ્યા હતા તેમણે કહ્યું હતું કે માણસનો જીવ મહત્વનો છે ત્યારે “જીવ બચાવવા કોઇ જ પ્રકારનું કોઇપણ પક્ષે સમાધાન ન થવું જોઇએ”અને સાથે જ કહ્યું કે વિચારવું જોઈએ કે ક્યાં ભૂલ થાય છે. 


એવી કાર્યવાહી થવી જોઈએ જેને લઈ દાખલો બેસે કે... 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જે નિવેદન આપ્યું કે અમે હવે કલેક્ટર ઓફિસે જઇશું અને આજથી જ એની શરૂઆત પણ કરી દીધી આજે તે  અચાનક ખેડા પ્રાંત ઓફિસની મુલાકાતે પહોંચ્યા... મહત્વનું છે કે મુખ્યમંત્રી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેમાં તે દુ:ખ વ્યક્ત કરતા હોય તેવું લાગ્યું.. માણસ તરીકે તે દુ:ખ વ્યક્ત કરે તે માણસાઈની નિશાની છે પરંતુ જ્યારે સત્તા પર બેઠેલા વ્યક્તિ આવી દુર્ઘટનાને લઈ બોલે ત્યારે સવાલ થાય.. અહીંયા કાર્યવાહી એવી થવી જોઈએ કે દાખલો બેસે કે ખોટું કરવાની કોઈની હિંમત ના ચાલે. એ ગમે તે કેમ ના હોય તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવાની સત્તા તમારી પાસે છે.. હવે સરકાર સતત આ રીતે કામ કરે એ આશા..  



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.