મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્રને આવ્યો બ્રેઈન સ્ટ્રોક! સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, જાણો શું હોય છે બ્રેઈન સ્ટ્રોક અને કેવી રીતે મેળવી શકાય રક્ષણ!


  • Published By :
  • Published Date : 2023-05-01 17:34:56

રવિવાર સાંજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિકરા અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અમદાવાદ ખાતે આવેલી કે.ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. બપોરના સમયે તબિયત ખરાબ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બ્રેઈન સ્ટ્રોક આવવાને કારણે અનુજ પટેલનું ઓપરેશન પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના પુત્રને વધુ સારવાર માટે રવિવારે અમદાવાદમાં આવેલી કેડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. પરંતુ સોમવારે મુખ્યમંત્રીના પુત્રને મુંબઈની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જામનગર ખાતે આયોજીત કાર્યક્રમમાં પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે હાજરી ન આપી હતી. એર એમ્બ્યુલન્સની મદદથી સીએમના પુત્રને મુંબઈ સારવાર ખાટે ખસેડવામાં આવ્યા છે. હિંદુજા હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર હર્ષ સંઘવી પણ મુંબઈની મુલાકાત લેવાના છે.   


કેવી રીતે થાય છે બ્રેઈન સ્ટ્રોક?     

જો બ્રેઈન સ્ટ્રોક આવવાના કારણની વાત કરીએ તો મગજમાં લોહીનો પુરવઠો ખોરવાઈ જાય અથવા તો મગજમાં રહેલી લોહીની નળીઓ ફાટી જાય છે. આ બંને પરિસ્થિતિઓમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મગજ સુધી પહોંચતો નથી. જેને લઈ મગજ યોગ્ય રીતે કામ કરતું નથી. મગજ સરખી રીતે કામ ન કરવાથી વ્યક્તિને પેરાલીસીસનો એટેક પણ આવી શકે છે. મગજમાં અલગ અલગ અંગનું સંચાલન કરતી ચેતના હોય છે. જો કોઈ નસને નુકસાન પહોંચે છે તો તે નસ સાથે જોડાયેલા અંગમાં લકવો થઈ શકે છે. ઉદાહરણ તરીકે જો મગજમાં હાથનું સંચાલન કરતી ચેતાને નુકસાન થાય છે તો હાથ લકવાગ્રસ્ત થઈ શકે છે. આવી જ રીતે પગ પણ લકવાગ્રસ્ત થઈ શકે છે. 


બ્રેઈન સ્ટ્રોક આવવાના લક્ષણો!

જો લક્ષણોની વાત કરીએ તો હાથ-પગ કે શરીરના કોઈ ભાગમાં નબળાઈ આવી જતી હોય છે. બોલવામાં અથવા તો સમજવામાં તકલીફ પડતી હોય છે. આંખોમાં પણ તકલીફ થતી હોય છે. તે ઉપરાંત ચાલવામાં તકલીફ થવી, શરીરનો ભાગ સૂન થઈ જવો, અચાનક ચક્કર પણ આવી જવા. માથામાં અસહ્ય દુખાવો થતો હોય છે. જો આવા લક્ષણો દેખાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. બ્રેઈન સ્ટ્રોકને બ્રેઈન એટેક પણ કહેવામાં આવે છે.  


બ્રેઈન એટેકથી બચવા શું કરવા જોઈએ ઉપાય! 

જો સ્ટ્રોક આવવાના મુખ્ય કારણોની વાત કરીએ તો તેમાં હાઈ બીપી, ડાયાબિટીસ, તમાકુનું સેવન કરવાથી બ્રેઈન સ્ટ્રોક આવી શકે છે. સ્ટ્રોકના સૌથી મોટા કારણની વાત કરીએ તો હાઈ બીપીને મોટું કારણ માનવામાં આવે છે. તે સિવાય ડાયાબિટીસને પણ સ્ટ્રોકનું કારણ માનવામાં આવે છે. ડાયાબિટીસ વાળા દર્દીઓએ એમ પણ પોતાના શરીરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીપી અને ડાયાબિટીસ વાળા વ્યક્તિઓને સ્ટ્રોક આવવાની સંભાવના વધારે હોય છે. તે ઉપરાંત વજન અને કસરત ન કરવાને કારણે પણ બ્રેઈન સ્ટ્રોક આવવાની સંભાવનાઓ પ્રબળ થઈ જતી હોય છે. ત્યારે અમુક બેદરકારીઓને કારણે બ્રેઈન સ્ટ્રોક આવે છે. જેમ કે સમય પર ભોજન ન કરવું, કસરત ન કરવી, ફાસ્ટ ફૂડ અથવા તો જંક ભૂડ ખાવું તેમજ સ્ટ્રેસ લેવું. બ્રેઈન સ્ટ્રોક અનેક વખત જીવલેણ પણ સાબિત થઈ શકે છે.         



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!