રેવડી કલ્ચર પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:44:49



ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજનેતામાં ફીટ થયેલું 'ઈલેક્શન મોડ'નું બટન દબાઈ ગયું છે. આજે નડિયાદ જિલ્લાના કપંડવંજના વિસ્તારમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવિંદ કેજરીવાલના રેડવી કલ્ચર પર પ્રહારો કરી રેવડી કલ્ચરના નુકસાન વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. 


ભૂપેન્દ્ર પટેલે કેજરીવાલના રેવડી કલ્ચર પર કર્યો પ્રહાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન દરમિયાન અરવિંદ કેજરીવાલ પર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, "ગુજરાત નંબર વન છે તેનું કારણ છે ગુજરાત જાણે છે રેવડી કલ્ચરથી કશું નથી થવાનું. આપણે જે પ્રકારે વિકાસ કરતા આવ્યા છીએ તેનું કારણ છે નરેન્દ્રભાઈ જાણતા હતા કે વિકાસ કરવા માટે નાણાકીય માળખું વ્યવસ્થિત કરવું પડે. પહેલાના સમયમાં બરોડાથી વાપી સુધીના ઉદ્યોગો સ્થપાતા હતા કારણે કે ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ પાણી અને લાઈટની વ્યવસ્થા નહોતી. નરેન્દ્ર ભાઈએ ગુજરાતમાં ખૂબ સારું વ્યવસ્થાપન કર્યું છે."


ચૂંટણી પહેલા ભાજપે ભૂપેન્દ્ર પટેલને આગળ ધકેલ્યા?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામાન્ય રીતે મૃદુભાષી નેતા છે. તેઓ આમ તો વાદ-વિવાદમાં આવ્યા નથી. ચૂંટણી અગાઉ ભાજપ ભૂપેન્દ્ર પટેલના ચહેરાનો યશ ખાટવા માગે છે. ભૂપેન્દ્ર પટેલની સારી છબીનો લાભ તો લેવાઈ રહ્યો છે પરંતુ આવા નિવેદનોથી લાગી રહ્યું છે કે હવે ભાજપ ભૂપેન્દ્ર પટેલને વિવાદિત નિવેદનો આપવા માટે આગળ લાવી રહ્યું છે. 


કેમ કોંગ્રેસને પડતી મૂકીને ભાજપ આપ પર આક્રામક થઈ રહી છે?

ગુજરાતની 25 વર્ષની રાજનીતિ જોઈએ તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જ યુદ્ધ જોવા મળ્યું છે. ગુજરાતમાં 30 વર્ષની અંદર અનેક નાની પાર્ટી મોટો અને ત્રીજો પક્ષ બન્યો પરંતુ ફેલ રહ્યો છે. આ વખતની વાત અલગ છે. આમ આદમી પાર્ટીના કામના કારણે આ વિધાનસભા ચૂંટણી અલગ નજરે પડે છે. આમ આદમી પાર્ટીની ચોક્કસ મુદ્દાઓ પર અને ભાજપ જે વિભાગમાં કામ કરવામાં કાચી પડે છે તે જ મુદ્દાઓ પર આપ ભાજપને ગેરંટીના આધારે ઘેરી રહી છે. ચૂંટણી અગાઉ પોલીસ, તલાટી, બસ કન્ડક્ટરો વગેરે એવા લોકો છે જે ભાજપથી નારાજ છે અને આપે તેમના પર જ આપે નિશાન બનાવ્યું હતું. લોકો આપની ગેરંટીના જોરે કોંગ્રેસનો વિકલ્પ છોડી રહ્યા છે તેવું લાગી રહ્યું છે.



૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .