મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપિતાને આપી શ્રદ્ધાંજલિ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 15:56:00

મહાત્મા ગાંધીની આજે 153મી જન્મ જયંતી છે. અનેક દિગ્ગજ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિત કોંગ્રેસના અનેક નેતાઓએ ગાંધી બાપુને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પિત કર્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીએ પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પી હતી. 

મુખ્યમંત્રી સિટી બસને બતાવશે લીલઝંડી  

પોરબંદર ખાતે આવેલા કિર્તી મંદિરે હાજર રહી મુખ્યમંત્રીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે સર્વધર્મ પ્રાર્થના સભામાં પણ હાજરી આપી હતી. 2021માં પણ પોરબંદર ખાતે તેઓ ઉપસ્થિત રહ્યા હતા. કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, પોરબંદરના ધારાસભ્ય તેમજ અનેક પદાધિકારીઓ મુખ્યમંત્રીની સાથે ઉપસ્થિત રહ્યા હતા. ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે સિટી બસ સેવાને લીલીઝંડી બતાવશે.     



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.