મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપુર મેટ્રો સ્ટેશનની કામગીરીનું કર્યું નિરીક્ષણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 11:29:32

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપના વરિષ્ઠ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નવરાત્રી દરમિયાન ગુજરાત આવવાના છે. પોતાના પ્રવાસ દરમિયાન પીએમ અમદાવાદ મેટ્રો રેલવે પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કરવાના છે. ત્યારે પીએમના પ્રવાસ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપુર મેટ્રો સ્ટેશનની મુલાકાત કરી હતી. 

મુખ્યમંત્રીએ કામગીરીનું કર્યું નિરીક્ષણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન વ્યવસ્થામાં કોઈ કમી ન રહી જાય તે માટે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપુર મેટ્રો સ્ટેશનની મુલાકાત લીધી હતી.  30 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી થલતેજથી વસ્ત્રાલના રૂટમાં ચાલનારી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવવાના છે.  મેટ્રોની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અંદાજીત રૂ. 12,925 કરોડના ખર્ચે પ્રથમ તબક્કાની કામગીરી કરવામાં આવી છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પણ લીધી મુલાકાત

વડાપ્રધાન 29 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન અમદાવાદ ખાતે યોજાનારી 36 નેશનલ ગેમ્સનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે. ગેમ્સનો પ્રારંભ થાય તે પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સ્થળ મુલાકાત લઈ સીએમએ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.  સીએમની સાથે સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.