છોટુ વસાવાએ Chaitar Vasavaનું સમર્થન કર્યું? Mahesh Vasava BJPમાં જોડાયા તે બાદ છોટુ વસાવાની આવી પ્રતિક્રિયા,પોતાના જ છોકરાને શું કામ ઉંદર કહ્યો?


  • Published By :
  • Published Date : 2024-03-12 09:12:06

થોડા સમય પહેલા છોટુ વસાવાએ એક નિવેદન આપ્યું હતું કે કશુંક ચાટી ખાવાનું હશે એટલે એ લોકો બીજા પક્ષમાં જતા હશે, એમણે એ પણ કહ્યું કે આદિવાસીનો પરસેવો નહીં ગમતો હોય એટલે બીજા પક્ષમાં જતા હશે. ત્યારે ગઈકાલે છોટુ વસાવાના દીકરા મહેશ વસાવા જ ભાજપમાં જોડાઈ ગયા હતા. હકિકત એ સામે આવીને ઉભી રહી કે છોટુ વસાવાના પરિવારમાં જે તે સમયના એમના રાજકીય વારસદાર મહેશ વસાવા જ ભાજપમાં જોડાયા છે. મહેશ વસાવા જ્યારે ભાજપમાં જોડાયા તે બાદ છોટુ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. છોટુ વસાવાએ કહ્યું ભાજપ કોઢ ઉંદર જેવી પાર્ટી બની ચૂકી છે. ચોરો અને લુટારૂઓને ભેગા કરી ભાજપ દેશ અને સંવિધાનને કોતરી રહી છે. 

ભાજપની વિચારધારા સામે લડતા આવ્યા છે છોટુ વસાવા!

છોટુ વસાવાએ આખુ જીવન એવો દાવો કર્યો કે એ સતત ભાજપ અને સંઘની વિચારધારા સામે લડતા આવ્યા છે, સતત કટ્ટર વાતો સાથે ઝઘડીયા અને ડેડીયાપાડામાં પોતાની સત્તા કાયમ રાખી, પણ વારો જ્યારે બીજા કોઈને એટલે કે ચૈતર વસાવાને મોકો આપવાનો આવ્યો તો એ ના કરી શક્યા, પરિણામ એવુ આવ્યું કે ઝઘડીયામાં ભારતીય જનતા પાર્ટી અને ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટી જીતી, આંધળા પુત્રપ્રેમમાં વેરવિખેર થયેલી સત્તાના ઉદાહરણોમાં નાનું પણ ભારતીય રાજનીતિનું મહત્વનું ચેપ્ટર ઉમેરાઈ ગયુ છે. આજે પણ જ્યારે ભરૂચના અનેક વિસ્તારોમાં જ્યારે જઈએ ત્યારે લાગે કે આપણે 50 વર્ષ પાછળ આવી ગયા હોય. સમયની રફતાર સાથે આપણે ચાલ્યા, છોટુ વસાવા ચાલ્યા તેમના વારસદાર ચાલ્યા પરંતુ ભરૂચને તે આગળ વધારી ના શક્યા! જે સ્થળની મુલાકાત લઈએ ત્યારે સમજાય છે કે એ લોકો સાથે તો માણસ જેવું વર્તન પણ નથી કરતા. 

મનસુખ વસાવાને જીતાડવા માટે ભાજપ મહેશ વસાવાને લાવી!

એક સમયે બીજેપીની વિચારધારા સામે લડનારા હવે બીજેપીમાં સામેલ થઈ રહ્યા છે. એ જોતા લાગે કે રાજનીતિમાં વિચારધારા સાથે કોઈ વધારે મતલબ હોતો નથી. મનસુખ વસાવાને ભાજપમાં લાવવા પાછળ પણ ભાજપ દ્વારા ગણિત લગાવવામાં આવ્યું હશે. મનસુખ વસાવા જીતી શકે તે માટે કદાચ મહેશ વસાવાને ભાજપમાં લાવવામાં આવ્યા છે તેવું લાગી રહ્યું છે. મહેશ વસાવા ભાજપમાં જોડાયા તે બાદ છોટુ વસાવાની પ્રતિક્રિયા સામે આવી હતી.


ભાજપ કોઢ ઉંદર જેવી પાર્ટી - છોટુ વસાવા

પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે ભાજપ કોઢ ઉંદર જેવી પાર્ટી બની ચૂકી છે. ચોરો અને લુટારૂઓને ભેગા કરી ભાજપ દેશ અને સંવિધાનને કોતરી રહી છે. ઝઘડિયા અને વાલિયા તાલુકામાંથી જે કોલસો મળવાનો છે તેની ચોરી માટે મારા પુત્ર સહિતના ઓગેવાનો ગાંધીનગર ખાતે ભાજપના ભરતીમેળામાં ગયા છે. ભરતીમેળો ખરેખર કાર્યક્રમ નથી પણ આપણી ધરતી અને આપણું ખનીજ લૂંટવા માટે મોટા મોટા કોઢ ઉંદરોને સહકાર આપીને થોડો ભાગ પડાવવાની સાજીશ છે.  



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.