Chhotaudepur: બે નેતાઓ તો ભાજપમાં આવી ગયા હવે આ નેતા આવે તો ત્રિપુટી રાજ આવી જાય!Pavijetpur પ્રમુખે સોશીયલ મીડીયામાં કહ્યું ખુરશીઓ ગોઠવીશું


  • Published By :
  • Published Date : 2024-02-28 17:02:01

છોટાઉદેપુરમાં ત્રિપુટીને જ રાજ કરવાનું વરદાન ભગવાને લખી આપેલું છે પક્ષ ચાહે ગમે તે હોય. આ પોસ્ટ લખી છે બાબુભાઈ રાઠવાએ. બાબુભાઈ રાઠવાએ Pavijetpurના પ્રમુખ છે. ત્રણ નેતાઓની વાત જે થઈ રહી છે તે સંભવત: નેતા છે સુખરામ રાઠવા, નારણ રાઠવા અને મોહનસિંહ રાઠવા. મોહનસિંહ રાઠવા પહેલા કોંગ્રેસમાં હતા પરંતુ તેમણે પક્ષ પલટો કરી લીધો. તે બાદ ગઈકાલે કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા પણ ભાજપમાં જોડાઈ ગયા. ત્યારે જે ત્રિપુટીની વાત થઈ રહી છે તેમાં માત્ર સુખરામસિંહ રાઠવા જ બાકી છે જે ભાજપમાં નથી જોડાયા. બાબુભાઈ રાઠવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર છે અને લખ્યું કે હવે સુખરામભાઈ આવી જાય એટલે ફરી વરસો જુનું ત્રિપુટી રાજ આવી જાય.

કોંગ્રેસના બે દિગ્ગજ નેતા પહેલા કોંગ્રેસમાં હતા અને... 

એક સમય છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું. પરંતુ ધીરે ધીરે કોંગ્રેસનું વર્ચસ્વ ઘટતું ગયું અને કોંગ્રેસના અસ્તિત્વ પર પણ પ્રશ્ન ઉભા થયા છે. ગઈકાલે કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા નારણ રાઠવાએ કોંગ્રેસને રામ રામ કહી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા મોહનસિંહ રાઠવા કોંગ્રેસમાં હતા પરંતુ તે બાદ તે ભાજપમાં આવી ગયા. ભાજપ જાણે કોંગ્રેસ યુક્ત થઈ રહી છે અને ગુજરાત કોંગ્રેસ મુક્ત થઈ રહી છે તેવું લાગે છે. હજી સુધી એવું જોવામાં આવ્યું છે કે બીજા પક્ષમાંથી ભાજપમાં જે આવે છે તેમને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે જે લોકો, કાર્યકર્તાઓ પહેલેથી પક્ષમાં રહ્યા હોય અને પછી કોઈ બહારનું આવેલું વ્યક્તિ ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવે તો દુ:ખ થાય.!


પોસ્ટમાં લખ્યું કે... 

સોશિયલ મીડિયા પર બાબુભાઈ રાઠવાએ પોસ્ટ કરી છે જેમાં તેમણે પોતાની વેદના ઠાલવી છે તેવું લાગે છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે છોટાઉદેપુરમાં ત્રિપુટીને જ રાજ કરવાનું ભગવાન વરદાન લખી આપેલું છે પક્ષ ચાહે ગમે તે હોય. બસ હવે સુખરામભાઈ આવી જાય એટલે ફરી વરસો જુંનું ત્રિપુટી રાજ આવી જાય. કેટલું સરસ કામ પાછું થઈ જશે પહેલાં હતું એવું નય, અને જુના ભાજપા વાળાને અયોધ્યા જવાનું અને નવ યુવાનોને ઘર ઘર સંપર્કમાં જવાનું કેટલું સુંદર આયોજન.


આંખલાં તો લીલા ખેતરો....

વધુમાં તે લખે છે કે અને મિટિંગો આવે ને પાછા એમાં મોટા મોટા ડિગ્રીધારી સાહેબો આવે એમના માટે ખુરશીઓ મૂકવાનું કામ કરવાનુંએ કેટલી મોટી સેવા જુના ભાજપવાળા માટે. અને હાં મંજીરાં અને ઘુઘરાંનો ઓર્ડર વડોદરાની બજારમાં રશ્મિકાંતભાઈ અને રાજેશભાઈ આપવાનું આયોજન નજીકના દિવસોમાં વિચારી રહ્યા છે. બાકી આંખલાં તો લીલા ખેતરો ચરશે, અને દોંહલી ગાયો ભૂખે મરશે. એ નક્કી.. જય જય શ્રી રામ 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.