Chhattisgarh: છત્તીસગઢના સુકમામાં CRPF કેમ્પ પર મોટો નક્સલી હુમલો, ત્રણ જવાનો શહીદ અને 14 ઘાયલ


  • Published By :
  • Published Date : 2024-01-30 22:05:09

છત્તીસગઢના સુકમા અને બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તાર ટેકલગુડેમમાં મંગળવારે નક્સલવાદીઓએ મોટી ઘટનાને અંજામ આપ્યો છે. CRPF કોબ્રા અને DRG જવાનોની સંયુક્ત ટીમ પર નક્સલવાદીઓએ કરેલા ગોળીબારને કારણે ત્રણ જવાનો શહીદ થયા હતા જ્યારે 14 જવાનો ઘાયલ થયા હતા, જેમાં એક જવાનની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. ઘાયલ જવાનોને સારવાર માટે એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. સૈનિકોની સારવાર રાયપુરમાં કરવામાં આવશે.


પેટ્રોલિગ વખતે થયો હુમલો


મંગળવારે જ પોલીસે ટેકલગુડેમમાં નવો કેમ્પ લગાવ્યો છે. આ કેમ્પની સુરક્ષામાં રોકાયેલા સૈનિકો કેમ્પની સ્થાપના બાદ જૂનાગુડા-અલીગુડા વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા, આ દરમિયાન પહેલાથી જ છુપાઈને બેઠેલા નક્સલવાદીઓએ સૈનિકો પર ગોળીબાર કર્યો અને 100થી વધુ BGL (બેરલ ગ્રેનેડ લોન્ચર) છોડ્યા હતા જેના કારણે સૈનિકો શહીદ થયા હતા. જો કે જવાનોએ તાત્કાલિક ચાર્જ સંભાળ્યો હતો. બંને તરફથી લગભગ ત્રણથી ચાર કલાક સુધી ગોળીબાર ચાલુ રહ્યો, આ દરમિયાન નક્સલીઓએ જવાનો પર 100થી વધુ BGL (બેરલ ગ્રેનેડ લોન્ચર) ફાયરિંગ કર્યું, જેના કારણે ઘણા સૈનિકો ઘાયલ થયા અને 3 જવાનો શહીદ થયા હતા. કેટલાક ઘાયલ જવાનોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. હાલ સૈનિકોને સારી સારવાર માટે હેલિકોપ્ટર દ્વારા રાયપુર રિફર કરવામાં આવી રહ્યા છે. બસ્તરના આઈજી સુંદરરાજ પીએ ઘટનાની પુષ્ટિ કરી છે.



બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..

આજે ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.. 13 નવેમ્બરે વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે જેનું પરિણામ 23 નવેમ્બરે આવવાનું છે..