છત્તીસગઢના સુકમા અને બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તાર ટેકલગુડેમમાં મંગળવારે નક્સલવાદીઓએ મોટી ઘટનાને અંજામ આપ્યો છે. CRPF કોબ્રા અને DRG જવાનોની સંયુક્ત ટીમ પર નક્સલવાદીઓએ કરેલા ગોળીબારને કારણે ત્રણ જવાનો શહીદ થયા હતા જ્યારે 14 જવાનો ઘાયલ થયા હતા, જેમાં એક જવાનની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. ઘાયલ જવાનોને સારવાર માટે એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. સૈનિકોની સારવાર રાયપુરમાં કરવામાં આવશે.
પેટ્રોલિગ વખતે થયો હુમલો
મંગળવારે જ પોલીસે ટેકલગુડેમમાં નવો કેમ્પ લગાવ્યો છે. આ કેમ્પની સુરક્ષામાં રોકાયેલા સૈનિકો કેમ્પની સ્થાપના બાદ જૂનાગુડા-અલીગુડા વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા, આ દરમિયાન પહેલાથી જ છુપાઈને બેઠેલા નક્સલવાદીઓએ સૈનિકો પર ગોળીબાર કર્યો અને 100થી વધુ BGL (બેરલ ગ્રેનેડ લોન્ચર) છોડ્યા હતા જેના કારણે સૈનિકો શહીદ થયા હતા. જો કે જવાનોએ તાત્કાલિક ચાર્જ સંભાળ્યો હતો. બંને તરફથી લગભગ ત્રણથી ચાર કલાક સુધી ગોળીબાર ચાલુ રહ્યો, આ દરમિયાન નક્સલીઓએ જવાનો પર 100થી વધુ BGL (બેરલ ગ્રેનેડ લોન્ચર) ફાયરિંગ કર્યું, જેના કારણે ઘણા સૈનિકો ઘાયલ થયા અને 3 જવાનો શહીદ થયા હતા. કેટલાક ઘાયલ જવાનોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. હાલ સૈનિકોને સારી સારવાર માટે હેલિકોપ્ટર દ્વારા રાયપુર રિફર કરવામાં આવી રહ્યા છે. બસ્તરના આઈજી સુંદરરાજ પીએ ઘટનાની પુષ્ટિ કરી છે.