છત્તીસગઢની ઘટના: પાણીમાં પડેલા સરકારી બાબુનો ફોન પાછો લાવવા ડેમમાંથી ખાલી કરાયું પાણી! ખેતરમાં ઉપયોગી થવા વાળા પાણીનો થયો વેડફાટ!


  • Published By :
  • Published Date : 2023-05-26 16:26:37

એક તરફ પાણી માટે લોકોને અનેક કિલોમીટર ચાલવું પડતું હોય છે તો બીજી તરફ છત્તીસગઢથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેમાં મોબાઈલ કાઢવા માટે 21 લાખ લીટર પાણી વહાવી દીધું. સમાચાર વાંચીને નવાઈ લાગી હશે ને પરંતુ આ સમાચાર સાચા છે. છત્તીસગઢના પંખાજૂરમાં એક ફૂડ ઈન્સ્પેક્ટરનો આઈફોન પાણીમાં પડી ગયો. ત્યારે ફોનને પાછો મેળવવા લાખો લીટર પાણીનો વેડફાટ કરવામાં આવ્યો. એટલું બધું પાણી વેડફવામાં આવ્યું જે પાણી દોઢ હજાર એકર ખેતરોની સિંચાઈ કરવામાં ઉપયોગી થાત. 

21 लाख लीटर पानी से डेढ़ हजार एकड़ की सिंचाई हो सकती थी।

પાણીમાં પડેલા ફોનને બચાવવા ગ્રામજનોએ કરી મહેનત!

જ્યારે કોઈ સામાન્ય માણસ પોતાની સમસ્યાને લઈ જ્યારે સરકારી અધિકારી પાસે જાય છે ત્યારે કોઈ તેની મદદમાં આવતું નથી. અધિકારીઓને જાણે કોઈ ફેર જ ન પડતો હોય તેવી રીતે વર્તન કરવામાં આવે છે. ત્યારે છત્તીસગઢના પંખાજૂરથી એક ઘટના સામે આવી છે જે વિચારવા મજબૂર કરશે. ફૂડ ઈન્સ્પેક્ટરનો આઈફોન પાણીમાં પડી ગયો. રવિવારની રજા માણવા સરકારી બાબુ ખેરકટ્ટા પરલકોટ ડેમ પહોંચ્યા હતા. રજાની મજા ત્યારે બગડી જ્યારે ફોન ડેમમાં પડી ગયો. અધિકારીએ મોબાઈલ શોધવા માટે ગામના લોકોને બોલાવ્યા. સારા સ્વીમરને પાણીમાં ઉતારવામાં પણ આવ્યા. પરંતુ સફળતા મળી નહી. 

पानी निकल जाने से अब भीषण गर्मी में मवेशियों को भी होगी दिक्कत।

પાણી કાઢવા 3 દિવસ માટે ચલાવાયો પંપ!

તરવૈયાને સફળતા ન મળી ત્યારે ફોનને શોધવા સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ડેમમાંથી ફોન શોધવા માટે પંપની મદદ લેવામાં આવી હતી. સતત 3 દિવસ સુધી પંપ ચલાવામાં આવ્યો હતો. અનેક લીટર પાણીનો વેડફાટ કરવામાં આવ્યો હતો. જ્યારે આ અંગેની માહિતી સિંચાઈ વિભાગના અધિકારીઓને મળી ત્યારે પાણીનો વેડફાટ અટકાવવા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પંપ બંધ કરાવ્યો હતો. મહામહેનત બાદ ફોન તો મળ્યો પરંતુ બગડેલી હાલતમાં મળ્યો. 

पंप लगाकर लाखों लीटर पानी अधिकारी ने अपना फोन ढूंढने के लिए बहा दिया।

ફોન તો મળ્યો પરંતુ બગડેલી હાલતમાં!

પાણી વેડફાટની માહિતી મળતા અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને પાણીનો વેડફાટ થતો અટકાવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો 6 ફીટ જેટલું પાણી નીકાળી દેવામાં આવ્યું હતું જે અનેક ખેતરોમાં પાણી પૂરૂં પાડી શકત. પરંતુ હવે આ પાણી ન તો ખેતરમાં ઉપયોગી થયું ન તો પાણીનો સંગ્રહ થયો. આ મામલે જ્યારે ફૂડ ઈન્સ્પેક્ટરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ફોનમાં વિભાગની જાણકારી હોવાને કારણે આ કદમ ઉઠાવવામાં આવ્યો હતો. પરંતુ પાણી ફોનમાં પડી જવાથી ફોન બંધ થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર આટલા લાખ લીટર પાણીનો વેડફાટ કરવા બદલ ફૂડ ઈન્સ્પેક્ટર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આ મામલે તમારૂ શું કહેવું છે? 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.