બેરોજગારોને લઈ છત્તીસગઢ સરકારે કરી જાહેરાત, મુખ્યમંત્રી ભૂપેશ બાઘેલે આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-01-26 15:20:43

સમગ્ર દેશમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાજ્યોમાં રાજ્ય સ્તરે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે છત્તીસગઢના મુખ્યમંત્રીએ બેરોજગારોને લઈને મહત્વની જાહેરાત કરી છે. ગણતંત્ર દિવસે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે બેરોજગાર યુવાનોને બેરોજગારી ભથ્થુ આપવાની જાહેરાત કરી છે.


બેરોજગારોને આપવામાં આવશે બેરોજગારી ભથ્થુ 

દેશ અનેક સમસ્યાનો સામનો કરી રહ્યો છે. સૌથી મોટો પ્રશ્ન છે બેરોજગારીનો. અનેક લોકો બેરોજગાર થઈ રહ્યા છે. ત્ચારે છત્તીસગઢ સરકારે ગણતંત્ર દિવસે બેરોજગારી ભથ્થુ આપવાની જાહેરાત કરી છે. ગણતંત્ર પર્વ નિમિત્તે બસ્તર જિલ્લામાં આયોજીત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાષ્ટ્રધ્વજને સલામી પણ આપી હતી. કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ સીએમએ બેરોજગાર લોકો માટે એક ટ્વિટ કરી હતી જેમાં બેરોજગાર ભથ્થું આપવાની જાહેરાત કરવામાં આવી હતી.  


ટ્વિટ કરી મુખ્યમંત્રીએ આપી જાણકારી 

છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે. સરકારમાં આવતા પહેલા જ કોંગ્રેસે શિક્ષિત યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાની વાત કરી હતી. ત્યારે ગણતંત્ર દિવસે છત્તીસગઢ સરકારે આ અંગે જાહેરાત કરી છે. ટ્વિટ કરતા સીએમએ જાણકારી આપી કે યુવાનોને આવતા નાણાકિય વર્ષથી દર મહિને બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. તે સિવાય પણ અનેક જાહેરાતો કરવામાં આવી હતી.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.