IPL 2023 Final GT Vs CSK: ચેન્નાઈ સુપરકિંગ્સનો ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય, બંને ટીમમાં કોઈ ફેરફાર નહીં


  • Published By :
  • Published Date : 2023-05-29 20:13:13

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝનની ફાઈનલ મેચ આજે રિઝર્વ ડે પર ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અમદાવાદમાં રમાઈ રહી છે. ચેન્નાઈ સુપરકિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે IPL 2023ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. કેપ્ટન એમએસ ધોનીએ ફાઈનલમાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. બંને ટીમમાં કોઈ જ ફેરફાર નથી કરાયો. ગુજરાત ટાઇટન્સ તરફથી રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલ ઓપનિંગમાં આવ્યા છે.


ટીમ ગુજરાત ટાઇટન્સ 


ઋદ્ધિમાન સાહા(વિકેટકીપર), શુભમન ગિલ, હાર્દિક પંડયા(કેપ્ટન), સાઈ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, મોહિત શર્મા, રાશિદ ખાન, નૂર અહમદ, મોહમ્મદ શમી


ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સ


ઋતુરાજ ગાયકવાડ, ડેવન કૉન્વે, અજિંક્ય રહાણે, મોઈન અલી, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની(કેપ્ટન/વિકેટકીપર) અંબાતી રાયડુ, મથીશા પથિરાના, તુષા દેશપાંડે, મહીશ તીક્ષ્ણા, દીપક ચાહર


રિઝર્વ-ડે પર ફાઈનલ મેચ


IPLના  ઈતિહાસમાં આ પ્રથમ વખત છે, જ્યારે ફાઈનલ રિઝર્વ ડે પર યોજાઈ રહી છે. IPL 16ની ફાઇનલ મેચ રવિવારે રમાવાની હતી. અત્રે ઉલ્લેખનિય છે કે રવિવારે સાંજે અમદાવાદમાં સતત વરસાદ પડતાં મેચનું આયોજન થઈ શક્યું ન હતું. IPLની ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા ફાઈનલ માટે પહેલાથી જ રિઝર્વ ડે રાખવામાં આવ્યો હતો. રાત્રે 11 વાગ્યા સુધીમાં જ્યારે મેચની તમામ શક્યતાઓ પર પાણી ફરી વળ્યું  ત્યારે ફાઈનલને રિઝર્વ ડેમાં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે