કેરોલિન બર્ટોઝી, મોર્ટેન મિલ્ડોલ અને કે. બેરી શાર્પલેસને મળ્યું કેમેસ્ટ્રીનું નોબેલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 21:13:09

સ્વીડનના સ્ટોકહોમમાં નોબેલ સમિતિએ બુધવારે રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત કરી હતી. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના કેરોલિન બર્ટોઝી, સ્ક્રિપ્સ રિસર્ચના કે. બેરી શાર્પલેસ અને ડેનમાર્કની યુનિવર્સિટી ઓફ કોપનહેગનના મોર્ટેન મિલ્ડોલને સંયુક્ત રીતે આ સન્માન આપવામાં આવ્યું છે. ત્રણેયને રસાયણશાસ્ત્રની મહત્વની શોધ - 'ક્લિક કેમિસ્ટ્રી' માટે આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ વૈજ્ઞાનિકોની શોધ કેટલી મહત્ત્વની છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આજે દવાઓના ઉત્પાદનમાં, દર્દીઓના નિદાનમાં અને નવા પદાર્થોના ઉત્પાદનમાં પણ 'ક્લિક કેમિસ્ટ્રી'નો મહત્ત્વનો ફાળો છે.


ત્રણેય વૈજ્ઞાનિકોની સંશોધન શું છે?


'ક્લિક કેમિસ્ટ્રી' એ નવા અણુઓ (મોલિક્યૂલ્સ) બનાવવા માટે અણુઓને એકસાથે જોડવાની પ્રક્રિયા છે. ધારો કે તમે નાના અણુઓને એકસાથે ભેળવી શકો અને પછી તેમને સતત મેળવીને મોટા, જટિલ અને વૈવિધ્યસભર અણુઓ (મોલિક્યૂલ્સ) બનાવી શકો. તેનાથી નવા પદાર્થ બનાવવાનું ખૂબ સરળ બની જાય છે. 'ક્લિક કેમિસ્ટ્રી' આ જ મોટો આધાર છે. જો કે, બે અલગ-અલગ અણુઓ વચ્ચેની પ્રતિક્રિયા હંમેશા ચોક્કસ હોતી નથી.


'ક્લિક કેમિસ્ટ્રી' નો કયાં ક્ષેત્રમાં ઉપયોગ થાય છે?


ક્લિક કેમિસ્ટ્રીનો ઉપયોગ ફાર્માસ્યૂટિકલ્સના વિકાસમાં, DNAની મેપિંગ અને વધુ ઉપયોગી વસ્તુઓ બનાવવા માટે કરવામાં આવે છે. બાયો ઓર્થોગોનલ પ્રતિક્રિયાઓનો ઉપયોગ કરીને શોધકર્તાઓએ કેન્સર ફાર્માસ્યૂટિકલ્સના ટારગેટિંગમાં સુધારો કર્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.